Gujarat

હાલમાં ગુજરાતમાં માસ્કથી મુક્તિ નહીં : ઋષિકેશ પટેલ

ગાંધીગનર: રાજ્યમાં હાલમાં માસ્કથી (Mask) કોઈ મુક્તિ મળે તેવા એંધાણ નથી. આઈએમઆરની (IMR) ગાઈડલાઈનને રાજ્ય સરકાર (Government) ફોલો કરી રહી છે.

ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેસ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં માસ્કમાંથી કોઈ મુક્તિ નહીં મળે. આજે ગુજરાતમાં 8 જ કેસ નોંધાયા છે. એટલે આપણને એમ લાગે છે કે ગુજરાતમાં માસ્કમાંથી મુક્તિ મળી જશે. જો કે તેવું નથી, આઈસીએમઆરની જે ગાઈડલાઈન છે તેમાં માસ્કમાંથી કોઈ મુક્તિ નથી. અગાઉ મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્વિમ બંગાળ દ્વારા માસ્કમાંથી મુક્તિની જાહેર કરાઈ છે. જો કે રાજ્ય સરકાર આઈસીએમઆરની એડવાઈઝરીને ફોલો કરી રહી છે.

Most Popular

To Top