Gujarat

ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન કરવાની જરૂર છે : આચાર્ય દેવવ્રત

અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ મંડળની (Gujarat Vidyapith Board) વર્ષ 2023-24ની ચોથી બેઠક (Meeting) આજે કોચરબ આશ્રમ, પાલડી-અમદાવાદ (Ahmedabad) ખાતે, ગુજરાતના રાજ્યપાલ (Governer) તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.

આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ માત્ર અક્ષર જ્ઞાન આપવા માટે નહોતી કરી, પણ સાથે-સાથે આધ્યાત્મિક ચિંતન, આત્મનિર્ભરતા, ગ્રામીણ વિકાસ અને દેશ સર્વાંગી વિકાસ તરફ આગળ વધે એ હેતુ સાથે કરી હતી. ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ હતો. બાપૂ જે કહેતા હતાં તે તેમના મન, વચન, કર્મમાં તે પ્રતિબિંબિત થતું હતું.

  • કોચરબ ખાતે ગુજરાત વિદ્યાપીઠની ચોથી બેઠક મળી

ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચાર-દર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવાની ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી હતી.

ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. મંડળે આ વિચારોના આધારે સંસ્થાઓ માટે નીતિ-નિયમો બનાવવા જોઇએ કે જેથી ગાંધી વિચારના મૂળ આદર્શોનું પાલન થાય તથા નવી પેઢીને ગાંધી માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરી શકાય. આ કાર્ય જ ગાંધીજીના આત્માને સાચી શ્રદ્ધાંજલિ હશે. ગાંધીજીના મૂળ આદર્શોને અનુરૂપ ભારતની ગાયોના વિવિધ વંશોનું સંરક્ષણ કાર્ય ગુજરાત વિદ્યાપીઠે કરવું જોઇએ.

Most Popular

To Top