Vadodara

દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે : રૂપાણી

વડોદરા : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન  સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે. પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ તેમણે ઉમેર્યું હતું. ઈન્ડીયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દૃષ્ટિએ ત્રીજા નંબરે અને કોસ્ટ મૂલ્યની દૃષ્ટિએ ૧૩ મા ક્રમે મોટું માર્કેટ છે . આપણા ફાર્માસ્યુટિકલ ઊદ્યોગે સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ પ્રદાન કરવાની વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે.

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો.વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું ‘ મેઇક ઇન ઇન્ડીયા’ને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે,ત્યારે અમી લાઇફ સાયન્સીસ આ નેમને સાકાર કરતાં ૪૦ થી વધુ એકટીવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર કરે છે. યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એકસપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનેરીક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાત રોજગારી આપવા સમગ્ર દેશમાં મોખરે છે અને     બિનગુજરાતીઓને પણ ગુજરાત મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યું છે.

દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે ૩૯ બિલીયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી ૫૦ ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે.ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની પ્રતિબદ્ધતા સાકાર થઇ છે તેમ ગૌરવ સહ તેમણે જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં સાવલીમાં કરખડી કરતાં ચાર ગણી મોટી સુવિધા ઊભી કરી બે હજારથી વધુ લોકોને રોજગારી આપવાનું કંપનીનું આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમી લાઇફ સાયન્સીસના સ્થાપક શ્રી ગિરીશભાઇ ચોવટીયા એ પરિશ્રમની પરાકાષ્ટાથી આ સિદ્ધિ મેળવી છે. ૧૯૯૮ માં નાના પાયે પોતાની સ્વતંત્ર ટ્રેડીંગ કંપની શરૂ કરીને ૨૦૦૨ માં એટલે કે પાંચ જ વર્ષમાં અન્ય કંપની ખરીદીને પ્રોડકશનમાં ઝંપલાવવાની સાહસિકતા તેમની ખૂમારીને ઊજાગર કરે છે.બે હજાર સ્કેવર ફિટમાં શરૂ થયેલી અમી લાઇફ સાયન્સીસ આજે એક લાખ રર હજાર સ્કેવર મીટરમાં વિસ્તરી છે. ગ્લોબલ ફાર્મા સ્યુટિકલ ક્ષેત્રે રૂ.૫૦૦ કરોડના ટર્નઓવરથી નામના મેળવીને ૧૦૦૦ જેટલા લોકોને રોજગારી પણ ગિરીશભાઇએ અમી લાઇફ સાયન્સીસથી પૂરી પાડી છે. હૃદયરોગ , ડાયાબિટીસ, હાયપર ટેન્શનની સારવારમાં ઉપયોગી દવાઓના એ.પી.આઇ તો, અમી લાઇફ સાયન્સીસ કરે છે અને દુનિયાના ૬૦ દેશોમાં વેપાર કારોબાર કરવા સાથે ઇન્ટરનેશનલ લેવલની ટોપ કંપનીઓ સહિત ૬૦૦ થી વધુ કસ્ટમર પણ ધરાવે છે.

આ પ્રસંગે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, ધારાસભ્યો સર્વ મનીષા બેન વકીલ, સીમાબેન મોહીલે, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈ , પાદરા વિસ્તારના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ, એકમના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top