Gujarat

આજે પીએમ મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ, ચાર સભાઓ સંબોધશે

ગાંધીનગર : સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત (South Gujarat) બાદ હવે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી આવતીકાલે ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી આવતીકાલે સવારે 1 વાગ્યે મહેસાણામાં , બપોરે 3.30 વાગ્યે દાહોદના ખરોડમાં, 5.30 વાગ્યે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં અને રાત્રે 7.30 વાગ્યે ચિત્રા માર્કેટ યાર્ડ, ભાવનગર ખાતે સભાને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, તથા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જે રીતે પહેલા તબક્કાની બેઠક ફાયનલ થયા પછી ભાજપે સ્ટાર પ્રચારકોની સભાઓ યોજીને કાર્પેટ બોમ્બિંગ કર્યું હતું તેવી જ રીતે આજે બીજા તબક્કાની ચૂંટણી માટે પણ કાર્પેટ બોમ્બિંગ થાય તેવી શક્યતા છે.

Most Popular

To Top