Gujarat Election - 2022

નવી સરકારની શપથવિધી માટે સચિવાલયના હેલીપેડ ગાઉન્ડ પર તડામાર તૈયારીઓ

ગાંધીનગર: તા.12મી ડિસે.ના રોજ બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર શપથ વિધી સમારંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જુદા જુદા ત્રણ મોટા સ્ટેજ (Stage) તૈયાર કરાઈ રહ્યા છે. જેના પર શપથ વિધી યોજાનાર છે.

વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર વિજય મેળવ્યા બાદ હવે શપથ વિધી સમારંભ મેગા શો થવા જઈ રહ્યો છે. આ શપથ વિધી સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત સીનિયર નેતાઓ ઉપસ્થિત રહેવા હોવાથી ત્રણ જુદા જુદા મંચ બનાવવામાં આવી રહયા છે. એક મંચ પર શપથ વિધી યોજાશે. જયારે અન્ય બીજા મંચ પર પીએમ મોદી સહિત કેન્દ્રિય નેતાઓ અને ત્રીજા મંચ પર સાધુ સંતો સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. દેશના અન્ય રાજયોમાં ભાજપની સરકારના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

Most Popular

To Top