Gujarat

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલ તારીખ 24મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર તેમજ કલોલમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
  • અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

આવતીકાલે તેઓ અમદાવાદ જીએમડીસી ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના સ્વજનો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજશે, ત્યારબાદ તેઓ કલોલ ખાતેના પાનસર તળાવનું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

ત્યારબાદ સાંજે 5-00 વાગે અમદાવાદના સાબરમતી એઈસી ગ્રાઉન્ડ ખાતે ખેલો ગાંધીનગર- 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોમાં રહેલી કૌશલ્ય શકિતને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા પાડવામાં આવશે. ત્યારબાદ સાંજે 07-00 વાગે ગુજરાત સાહિત્ય મહોત્સવનું તેઓ ઉદ્ઘાટન કરશે.

Most Popular

To Top