World

ભૂતપૂર્વ પોપ એમેરિટસ બેનેડિક્ટ XVI નું અવસાન, 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી: ભૂતપૂર્વ પોપ એમેરિટસ બેનેડિક્ટ સોળમાનું (Former Pope Emeritus Benedict XVI) નિધન થયું છે. પોપ એમેરિટસ બેનેડિક્ટ 95 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. ભૂતપૂર્વ પોપ એમેરેટસ બીમાર હતા. કૅથલિક ધર્મના (Catholicism) ટોચના નેતા પોપ ફ્રાન્સિસે (Pope Francis) બુધવારે તેમના તમામ અનુયાયીઓને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી, જેથી ભગવાન તેમના જીવનના અંતિમ દિવસોમાં તેમને આરામ આપે.

ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 2013 માં પદ છોડ્યું, 600 વર્ષમાં પ્રથમ વખત આવું થયું હતું. વેટિકનમાં મેટર એક્લેસિયા મઠમાં તેમનું અવસાન થયું. અહીં તેઓ રાજીનામું આપ્યા પછી રહેતા હતા અને હોલી સીના પ્રવક્તા હતા. વેટિકન ન્યૂઝે ટ્વિટ કર્યું, ‘દુઃખ સાથે, અમે તમને જાણ કરીએ છીએ કે પોપ એમેરિટસ, બેનેડિક્ટ XVI નું આજે સવારે 9:34 વાગ્યે વેટિકનના મેટર એક્લેસિયા મઠમાં નિધન થયું છે. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એમેરિટસ બેનેડિક્ટ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ કારણે તેમણે પોપના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. છેલ્લા 600 વર્ષમાં આવું કરનાર તેઓ પ્રથમ પોપ હતા. 1415 માં ગ્રેગરી XII પછી રાજીનામું આપનાર તે પ્રથમ પોપ બન્યા હતા. બેનેડિક્ટ XVI નો જન્મ જર્મનીમાં થયો હતો. તેમનું બાળપણનું નામ જોસેફ રેટ્ઝિંગર હતું અને 2005માં તેઓ વેટિકન સિટીના પોપ તરીકે ચૂંટાયા હતા. ત્યારે તેઓ 78 વર્ષના હતા અને તેઓ સૌથી વૃદ્ધ પોપમાંના એક હતા. તેઓ લગભગ આઠ વર્ષ સુધી રોમન કેથોલિક ચર્ચના પોપ હતા. બીમારીના કારણે ફેબ્રુઆરી 2013માં તેમણે પદ છોડી દીધું હતું.

2013માં રાજીનામું આપતાં આ વાત કહેવામાં આવી હતી
જ્યારે ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટે 2013 માં રાજીનામું આપ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમની પાસે કેથોલિક ચર્ચનું નેતૃત્વ કરવા માટે શરીર અથવા મનની તાકાત નથી. તેમના રાજીનામાથી ફ્રાન્સિસ માટે માર્ગ મોકળો થયો. 

Most Popular

To Top