Entertainment

મહાનાયકની તબિયત લથડતા ચાહકોએ પ્રાર્થના ચાલુ કરી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ની આખી દુનિયા ચાહક છે. ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે હંમેશ ઉત્સુક હોય છે. બિગબી સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર ખૂબ જ એક્ટિવ રહે છે અને બ્લોગ દ્વારા પોતાના અનુભવો શેર કરે છે. પરંતુ સદીના મહાનાયકના એક બ્લોગ ( BLOG) એ લોકોને આંચકો આપ્યો છે. અમિતાભ બચ્ચનના બ્લોગ દ્વારા ખુલાસો થયો છે કે તેમની તબિયત લથડી છે, જેના કારણે તેની સર્જરી કરાવી લેવી પડશે.

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં તેમની સર્જરી વિશેની માહિતી આપી હતી. શનિવારે (27 ફેબ્રુઆરી) બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ‘મેડિકલ કંડિશન … સર્જરી … હું લખી શકતો નથી, એબી’. ક્યારેક ટ્વિટર અને ક્યારેક બ્લોગ્સ દ્વારા, કલાકારો સતત તેમના પ્રશંસકો સાથે વાતચીત કરે છે અને ઘણા પ્રસંગો પર તેઓ તેમના જીવનની વાર્તાઓ શેર કરતા જોવા મળે છે. પરંતુ આ વખતે અભિનેતાના નવા બ્લોગએ ચાહકોને મોટો આંચકો આપ્યો છે.

અમિતાભનું આવું લખવું ચાહકોના ધબકારાને વધારી દીધા છે. બધાને ચિંતા છે કે અચાનક અમિતાભ બચ્ચનનું શું થયું છે? અભિનેતાની સર્જરી કરાવવી પડશે? તે તબીબી સ્થિતિ શું છે? સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો થઈ રહી છે, પરંતુ તેના વિશે હજી વધારે ખુલાસો થયો નથી.

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનું અભિનય હોય કે વાસ્તવિક જીવન, તે હંમેશા તેમના ચાહકોને પસંદ આવે છે. બિગ બીની સ્ટાઇલ પણ ખૂબ પસંદ આવે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને દરરોજ તેના ચાહકો સાથે તેના વિચાર શેર કરે છે. પરંતુ હવે અમિતાભ બચ્ચનના ચાહકોને એક ખલેલ પહોંચાડનાર સમાચાર સામે આવ્યા છે. તેમણે જાતેજ તેમની બગડતી તબિયત વિશે માહિતી આપી છે, જેથી હવે તેમના માટે પ્રાર્થનાઓ ચાલી રહી છે.


અમિતાભ બચ્ચનના ચાહકોને આંચકો લાગવો પણ વ્યાજબી છે. કારણ કે અમિતાભ બચ્ચનની તબિયત ફરી એકવાર કથળી છે. આ વિશે કોઈ અન્યએ માહિતી આપી નથી, પરંતુ તે પોતે જ આ વાત કહી છે. શનિવારે મોડી રાત્રે અમિતાભ બચ્ચને એક બ્લોગ દ્વારા તેમના ચાહકોને માહિતી આપી હતી કે તેમની સર્જરી કરવામાં આવી રહી છે. ત્યારબાદથી સુપરસ્ટારના ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top