National

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકારની મુશ્કેલી વધી, LGએ આ મામલે CBI તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. ઉપરાજ્યપાલે (LG) મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખ્યો છે. દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં (Hospital) નકલી દવાઓના વિજિલન્સ રિપોર્ટ પર CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓના વિજિલન્સ વિભાગના અહેવાલ પર દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખ્યો છે અને તેની સીબીઆઈ તપાસનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ LGએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદેલી નકલી દવાઓના મામલામાં તપાસના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોની ફરિયાદોને કારણે AAP સરકાર હવે આ મુદ્દે ઘેરાયેલી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોએ રેન્ડમલી નકલી દવાઓ ખરીદી હતી અને આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પરીક્ષણ દરમિયાન નિષ્ફળ હોવાનું જાણવા મળ્યું છે. આ ટેસ્ટ બાદ ખળભળાટ મચી ગયો છે.

ન્યૂઝ એજન્સી એનએનઆઈના ટ્વીટ અનુસાર એલજીએ સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા ખરીદેલી અપ્રમાણિક દવાઓની ખરીદીને લઈને આ આદેશ આપ્યા છે. એજન્સીના રિપોર્ટ અનુસાર લોકોની ફરિયાદના આધારે AAP સરકારે આડેધડ રીતે હોસ્પિટલો માટે દવાઓની ખરીદી કરી હતી. જ્યારે પરીક્ષણ કરાયું ત્યારે આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પરીક્ષણ દરમિયાન પરિમાણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હતી.

બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં જેની સારવાર ચાલી રહી છે તે ભગવાનની કૃપાથી જીવિત છે. તેમણે કહ્યું કે અમારી પાસે વિજિલન્સ અને લેબ રિપોર્ટ્સ છે. સરકાર લોકોના જીવ સાથે રમત રમી રહી છે. દવાઓના સેમ્પલ જેનાથી લોકો સાજા થવાની આશા રાખતા હતા તે નિષ્ફળ ગયા છે. સચદેવાએ કહ્યું કે 5 કંપનીઓના સેમ્પલ ફેલ થયા છે. લોકોની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. જે સૌથી મોટી સારવાર છે તે હૃદયની સારવાર છે. જેમાં દવાથી કોઈ ફરક પડતો નથી. દર્દી સ્વસ્થ થતાં નથી. લોકોના જીવ સાથે રમત અને તેમને ખરાબ સારવાર આપતી દિલ્હી સરકાર માનવતાની દુશ્મન છે.

Most Popular

To Top