Gujarat

ગુજરાત સહિત 6 રાજ્યમાં વધ્યા કોરોનાના કેસ, એક્સપર્ટે નવી લહેરની શંકા વ્યક્ત કરી!

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના (Corona) વધતા જતા જોખમ વચ્ચે કેન્દ્ર સરકારનું ટેન્શન ફરી વધ્યું છે. કોરોના વાયરસે લઈને કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપતો પત્ર લખ્યો છે. સરકારે આ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ અને ટ્રેકિંગ (Testing and Tracking) પર નજર રાખવા જણાવ્યું છે. આ સાથે રસીકરણ પણ પાંચ ગણું ઝડપી કરવા જણાવાયું છે. સરકારે કોવિડ-19ની સ્થિતિની તપાસ કરવા અને રોગનું ઝડપી અને અસરકારક સંચાલન કરવા જણાવ્યું છે. રાજ્યમાં 435 સક્રિય ટેસ્ટ, કુલ 119 કેસ, ગુજરાતમાં 62, 4 દર્દી વૅન્ટિલેટર પર છે.

ભારતમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં લગભગ 4 મહિના બાદ ગુરૂવારે કોરોનાના 700થી વધારે મામલાઓ નોંધાયા છે. એવામાં ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,623 થઈ ગઈ છે. ત્યારે આ અંગે વૈજ્ઞાનિકોનું માનવું થે કે થ છેલ્લા થોડા દિવસોમાં કોરોના વાયરસના મામલાઓમાં જે વધારો થયો છે તેની પાછળ કોવિડ-19 XBB વેરિએન્ટનો વંશજ XBB 1.16 હોઈ શકે છે. ભારત સિવાય ચીન, સિંગાપુર, અમેરિકા સહિત વિવિધ દેશોમાં પણ આ વેરિએન્ટ ઝડપથી ફેલાયેય રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે કોવિડ-19ના આ વેરિએન્ટથી નવી લહેરની શક્યતાઓ વધી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોરોના દર્દીઓમાં સતત વધારો થવાના અહેવાલો છે. આવી સ્થિતિમાં, આ છ રાજ્યોની સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે અને કોરોનાને લઈને દર્દીઓના ટેસ્ટ, ટ્રેક, સારવાર અને રસીકરણને પાંચ ગણી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

થોડા અઠવાડિયાથી કેસોમાં વધારો
આરોગ્ય મંત્રાલયે રાજ્યોને નજીકથી નજર રાખવા કહ્યું અને ઉલ્લેખ કર્યો કે દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન COVID-19 કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ખાસ કરીને દેશના કેટલાક ભાગોમાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. 8 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં કુલ 2,082 કેસ નોંધાયા છે અને 15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં આ આંકડો વધીને 3,264 થઈ ગયો છે.

4 મહિના બાદ 700 કેસ મળ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બુધવારે દેશભરમાં કોરોનાના 700થી વધુ નવા કેસ સામે આવ્યા છે. 4 મહિના બાદ આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. આ પહેલાં 12 નવેમ્બરે કોરોનાના 734 કેસ મળ્યા હતા. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,623 થઈ ગઈ છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 402 કેસ જોવા મળ્યા છે, જ્યારે સક્રિય કેસ પણ વધીને 3903 થઈ ગયા છે. અગાઉ, 13 માર્ચે, દેશમાં 444 કેસ મળી આવ્યા હતા, જ્યારે 12 માર્ચે, 524 કેસ મળી આવ્યા હતા. 11 માર્ચે 456 અને 10 માર્ચે 440 કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં બુધવારે 176 નવા કેસ નોંધાયા છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં થોડા સમયથી કોરોનાના કેસ ઓછા થયા હતા કે ફરી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આ ખાસ કરીને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુધવારે 176 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા, જે એક દિવસ અગાઉ 155 હતા. જો કે, ચેપ સાથે જોડાયેલ કોઈ નવું મૃત્યુ નોંધાયું નથી. આ સાથે, રાજ્યની કોવિડ-19ની સંખ્યા વધીને 81,38,829 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 1,48,426 થયો છે, એમ વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું. મંગળવારે, રાજ્યમાં 155 કેસ નોંધાયા હતા અને વાયરલ ચેપથી જોડાયેલા બે મૃત્યુ થયા હતા. રાજ્યનો કોરોના વાયરસ રિકવરી રેટ 98.17 ટકા હતો, જ્યારે મૃત્યુ દર 1.82 ટકા હતો.

H3N2 ઈન્ફલ્યુએન્ઝા નવી સમસ્યા બની જાય છે
નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ-19ની સાથે ભારતમાં H3N2 પણ છે, ઈન્ફ્લુએન્ઝા A વાયરસના કેસ પણ સતત સામે આવી રહ્યા છે. એટલે કે ભારતમાં કોરોના અને H3N2 બંનેના કેસ વધવાને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. એક તરફ કોરોના અને બીજી તરફ H3N2ના વધતા જતા કેસોને કારણે આરોગ્ય વિભાગે યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે. H3N2 એ ઈન્ફલ્યુએન્ઝા A વાયરસનો પેટા પ્રકાર છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. H3N2 વાયરસના ચેપના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા છે. આ વાયરસની પકડમાં, તાવ અથવા તીવ્ર શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક અથવા કેટલાક કિસ્સાઓમાં અનુનાસિક ભીડ, માથાનો દુખાવો અને થાક છે. કેટલાક કિસ્સાઓમાં, ઉલટી અથવા ઝાડા પણ થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ એ પણ આ વાયરસનું લક્ષણ હોઈ શકે છે જે ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે છે.

Most Popular

To Top