Entertainment

સ્વરાના લગ્ન પછી આ પોસ્ટ ઉપર હોબાળો: એક યુઝરે લખ્યું 4 મહિનાની પ્રેગનેન્સી….

નવી દિલ્હી: દિલ્હીમાં (Dealhi) થયેલ શ્રદ્ધા મર્ડર કેસ (Murder) પછી ધણાં કિસ્સાઓને આ કેસ સથે જોડવામાં આવે છે. હાલમાં બોલિવુડની (Bollywood) અભિનેત્રી (Actress) સ્વરા ભાસ્કરના લગ્નને (Marriage) લઈને પણ આ કેસ સાથે તેના ફેન્સ જોડી રહ્યાની જાણકારી સામે આવી છે. જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ કોર્ટમાં ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં વીડિયોમાં બંનેનો પ્રેમ દેખાઈ રહ્યો હતો. સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહેમદ મુસ્લિમ છે અને તે હિન્દુ છે, તેઓએ આંતર-ધર્મ લગ્ન કર્યા છે, જેના કારણે યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ સ્વરા ભાસ્કરે તમામ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

ફહાદ અહેમદ સાથેનો ફોટો શેર કરતાં સ્વરાએ લખ્યું, હેટર્સ: સૂટકેસ, ફ્રિજ, ગેરકાયદેસર, કન્વર્ઝન બ્લા… બ્લાહ… અમે બંને આ લખી તેણે રેડ હાર્ટ વાળું ઈમોજી મૂક્યુ હતું. સ્વરાની આ રીત તેના ધણાં ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું- જો તમે ક્યારેય મળો તો ફ્રીજમાંથી ઠંડુ પાણી આપજો. આવું કહી તેણે સ્વરાને દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસની યાદ અપાવી હતી જેમાં પીડિતાની ડેડ બોડી ફ્રીજમાં રાખવામાં આવી હતી. એક ફેન્સે લખ્યું હતું કે તમારી ટ્વિટ કહી રહી છે કે હવે આ અબ્દુલ નવો છે. જો તમે ક્યારેય આ લોકોને મળશો તો તમે તેમને રુહાફઝાનું શરબત ચોક્કસ આપજો. કદાચ મનને ઠંડક મળે. જયારે અન્ય એકે લખ્યું કે દીદી નફરત કરનારાઓ તરફ ધ્યાન ન આપો તેઓતો કંઈ પણ કહેશે. તેઓ તો એવું પણ કહે છે કે “તમે 4 મહિનાના ગર્ભવતી છો”તેથી આવા લોકો તરફ તમે ધ્યાન ન આપો.

જણાવી દઈએ કે આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ સ્વરા તરફ પોતાનો નિશાન સાધતા કહ્યું હતું કે તેણે શ્રદ્ધા વોકરના 35 ટુકડા જોયા નથી. વિચારીને નિર્ણય લેવો જોઈતો હતો. વધારામાં તેણે કહ્યું શ્રધ્ધા અને નિક્કી પણ તેના જેવી જ હશે. સાથે જ તેણે કહ્યું, ‘સ્વરા પહેલાથી જ હિંદુ વિરોધી નિવેદનો આપતી રહી છે. હવે ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને તેણે સાબિત કરી દીધું છે કે તે હિંદુ વિરોધી છે. સાધ્વી પ્રાચીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં મીડિયાને તેમના છૂટાછેડાના સમાચાર મળશે.

Most Popular

To Top