Entertainment

બોલિવુડ કપલ સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ, રાજસ્થાનની આ હોટલમાં લેશે સાત ફેરા

મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીના (Kiara Advani) ઘણા સમયથી રિલેશનશીપ (Relationship) હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે તેમના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્નની સિઝનમાં (Wedding season) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તારીખ, સ્થળ અને ગેસ્ટ લિસ્ટ લગભગ તૈયાર છે. એવી ચર્ચાએ જોક પકડયું છે કે આ કપલના લગ્નના ફંક્શન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.

રાજસ્થાનની આ હોટલમાં લેશે સાત ફેરા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કપલના લગ્નમાં લગભગ 100-125 મહેમાનો હાજરી આપશે. આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટીઝના નામ પણ છે. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે જેસલમેરનો લોકપ્રિય પેલેસ સૂર્યગઢ પસંદ કર્યો છે. કરણ જોહરથી લઈને ઈશા અંબાણી જેવા મહેમાનો પણ આ હાઈપ્રોફાઈલ લગ્નમાં હાજરી આપશે. મહેમાનોના રહેવા માટે મહેલના લગભગ 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સિવાય મહેમાન માટે 70થી વધુ વાહનો પણ બુક કરવામાં આવ્યા છે, જેમાં મર્સિડીઝ, જગુઆરથી લઈને BMW સામેલ છે.

મુંબઈના વેડિંગ પ્લાનરને જવાબદારી સોંપવામાં આવી હતી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા પ્રાઈવસી જાળવવામાં આવી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નમાં મહેમાનોના આવવાની પ્રક્રિયા 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. લગભગ 40 લોકો 4 ફેબ્રુઆરીએ મુંબઈથી ફ્લાઈટ દ્વારા જેસલમેર પહોંચી રહ્યા છે.

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે 4 થી 8 ફેબ્રુઆરી સુધી જેસલમેરનો પેલેસ સૂર્યગઢ બુક કરવામાં આવ્યો છે. હોટલમાં હળદર, મહેંદી, સંગીત અને ફેરાના સેટ બનાવવા અને ડિઝાઇન કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેસલમેરના સોનાર કિલ્લાની જેમ બનેલ આ સૂર્યગઢ પેલેસ રણમાં કિલ્લાનો અહેસાસ કરાવે છે. હોટલમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મહેલના દરેક ખૂણામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મહેમાનની ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

સ્ટાર કપલના લગ્નમાં પસંદગીના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંનેના પરિવાર સિવાય ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ આમાં સામેલ છે. હાલમાં ડાયરેક્ટર કરણ જોહર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના નામ સામે આવ્યા છે. કિયારા અડવાણી અને ઈશા અંબાણી બંને સ્કૂલ ફ્રેન્ડ્સ છે.

Most Popular

To Top