National

મહારાષ્ટ્રમાં ફેક્ટરીમાં બોઈલર ફાટતા ત્રણના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં એક કારખાનામાં બોઈલર(Boiler) ફાટતાં(Blast) ભીષણ આગ(Fire) લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત(Death) થયા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

ફેક્ટરીમાં 12 કામદારો કામ કરતા હતા
આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતા 3 કામદારોના મોત થયા હતા. જેમાંથી સાત ઘાયલ થયા છે. વૈષ્ણવી, ભાવેશ, જયદીપ રાવ, સાગર, હર્ષલા અને અન્ય બે લોકો ઘાયલ થયા છે અને તેમને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બ્લાસ્ટમાં અજય અને અન્ય બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે તેમના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વિસ્ફોટ એટલો હિંસક હતો કે આજુબાજુનો વિસ્તાર હચમચી ગયો હતો. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

અગાઉ હોસ્પિટલમાં લાગી હતી આગ
તમને જણાવી દઈએ કે આ પહેલા 25 સપ્ટેમ્બરે અમરાવતીની સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલના નિયોનેટલ સુપિરિયોરિટી વિભાગ (SNCU)માં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે વોર્ડમાં 35 નવજાત શિશુ દાખલ હતા. જેમાં ચાર બાળકોને ઓક્સિજન મુકી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી.

Most Popular

To Top