Entertainment

અમદાવાદમાં અજય દેવગનનું નવું મલ્ટિપ્લેક્સ શરૂ થશે, 25000 ચોરસ ફૂટમાં ફેલાયું હશે NY સિનેમા

અમદાવાદ: (Ahmedabad) બોલીવુડ (Bollywood) અભિનેતા-ફિલ્મ નિર્માતા અજય દેવગણ (Ajay Devgan) અમદાવાદ શહેરમાં તેમનો નવો સિનેમા હોલ શરૂ કરવા માટે તૈયાર છે. શહેરવાસીઓને ટૂંક સમયમાં અનન્ય સુવિધાઓ સાથેનો સૌથી પ્રીમિયમ અને ક્લાસિકલ મૂવી જોવાનો અનુભવ મળશે. એનવાય સિનેમા અમદાવાદના મોટેરા રોડ પર આમ્રકુંજ ખાતે 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં ચાર ઓડિટોરિયમનો સમાવેશ થાય છે. જેમાં એક એક્શન પેક્ડ ફિલ્મી લાઉન્જ, લાઈવ કિચન અને મોકટેલ બાર ખાસ કરીને અમદાવાદના લોકોના સ્વાદ અને મૂડ અનુરૂપ હશે.

  • બોલીવુડ અભિનેતા-ફિલ્મ નિર્માતા અજય દેવગણ અમદાવાદ શહેરમાં તેમનો નવો સિનેમા હોલ શરૂ કરવા માટે તૈયાર
  • શહેરવાસીઓને ટૂંક સમયમાં અનન્ય સુવિધાઓ સાથેનો સૌથી પ્રીમિયમ અને ક્લાસિકલ મૂવી જોવાનો અનુભવ મળશે
  • NY સિનેમામાં લાઈવ કીચન, મોકટેલ બાર અમદાવાદના લોકોના સ્વાદ અને મૂડ અનુરૂપ હશે સુવિધાઓ
  • એનવાય સિનેમા અમદાવાદના મોટેરા રોડ પર આમ્રકુંજ ખાતે 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે

એનવાય સિનેમામાં 320-સીટર ડોલ્બી એટીએમઓએસ સ્ક્રીન હશે. એક ક્લાસિકલી આલીશાન ઓડિટોરિયમમાં તમામ રિક્લાઈન્ડ 75 સીટો હશે. તમામ ચાર સ્ક્રીનમાં 3D મૂવીઝ ચલાવી શકાશે. NY સિનેમાએ ગુજરાતમાં ભુજ, સુરેન્દ્રનગરમાં તેની હાજરી પહેલેથી જ સ્થાપિત કરી છે અને ટૂંક સમયમાં માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ આણંદ, સુરત અને રાજકોટમાં પણ તે ખુલશે. NY સિનેમાનો ઉદ્દેશ્ય એક સંપૂર્ણ વૈભવી અનુભવ પ્રદાન કરવાનો છે. સાથેજ પ્રેક્ષકોને આધુનિક ટ્વિસ્ટ સાથે જૂની મૂવી જોવાના અનુભવ આપવાનો છે. ટૂંક સમયમાં અમદાવાદના મોટેરા રોડ પર દરેક વ્યક્તિ તેનો અનુભવ કરી શકશે.

હરભજન સિંહની પત્ની ગીતા બસરા 6 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે, આ છે આગામી ફિલ્મ
ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને અભિનેત્રી ગીતા બસરા લાંબા સમય બાદ ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. હરભજન સિંહ સાથે લગ્ન કર્યા પછી ગીતા બસરાએ તેના બે બાળકો સાથે માતૃત્વનો આનંદ માણ્યો પરંતુ હવે તે ફરી એકવાર તેના કાર્યક્ષેત્રમાં પરત ફરી રહી છે. ‘ભૈયાજી સુપરહિટ’ અને ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ ફિલ્મોમાં છેલ્લે જોવા મળેલી ગીતા બસરાના ફેન્સ માટે આ મોટા સમાચાર છે. અભિનેત્રીને મોટા પડદા પર જોવા માટે તેના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. ગીતા તેની આગામી ફિલ્મ ‘નોટરી’થી છ વર્ષ પછી પુનરાગમન કરવા માટે તૈયાર છે.

ગીતા બસરા પ્રખ્યાત બંગાળી અભિનેતા પરમબ્રત ચેટર્જી સાથે અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મ પવન વાડેયાર દ્વારા નિર્દેશિત છે અને ઓક્ટોબરથી ફ્લોર પર જવાની અપેક્ષા છે. ગીતા પ્રસૂતિ રજા પર હતી અને દુબઈમાં તેના પરિવાર સાથે રજાઓ માણી રહી હતી. તે કહે છે, “તે એક અદ્ભુત મુસાફરી હતી, અમે એકબીજા સાથે સારો સમય વિતાવ્યો. ભજ્જીના વ્યસ્ત શેડ્યૂલ અને હિનાયાની સ્કૂલને કારણે અમે ભાગ્યે જ આવું કરીએ છીએ અને હવે મારી આગામી ફિલ્મ સાથે અમને ખબર નથી કે અમને આવી તક ક્યારે મળશે કે કેમ.

Most Popular

To Top