Business

ટાટામાં સામેલ થતાં જ એર ઈન્ડિયાની કિસ્મત બદલાઈ, કાફલામાં 30 નવા એરક્રાફ્ટ જોડાશે

નવી દિલ્હી: (New Delhi) ટાટાની એરલાઈન કંપની એર ઈન્ડિયા (Air India) આ વર્ષે ડિસેમ્બરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. એર ઈન્ડિયાએ કહ્યું છે કે એરલાઈને આગામી 15 મહિનામાં પાંચ વાઈડ બોડી બોઈંગ અને 25 એરબસ નેરો-બોડી એરક્રાફ્ટને (Aircraft) સામેલ કરવા માટે લીચ અને લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

પોતાની ક્ષમતા વધારવા માટે એર ઈન્ડિયા તેના હાલના કાફલામાં 25 નેરો બોડી એરબસ અને 5 બોઈંગ વાઈડ બોડી એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે. એર ઇન્ડિયાએ 25 એરબસ નેરો-બોડી અને 5 બોઇંગ વાઇડ-બોડી એરક્રાફ્ટ માટે લીઝ અને ઇરાદા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે જે 2022 ના અંતથી સેવામાં આવશે. આનાથી એરલાઇનના કાફલામાં 25 ટકાથી વધુનો વધારો થશે. ટાટા જૂથ દ્વારા આ વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાને હસ્તગત કર્યા પછી આ નવા એરક્રાફ્ટ કાફલાને વિસ્તૃત કરશે. લીઝ પર આપવામાં આવેલ એરક્રાફ્ટમાં એકવીસ એરબસ A320 નિયોન, ચાર A321 નિયોન અને પાંચ બોઇંગ B777-200LRનો સમાવેશ થાય છે.

એરલાઈન અનુસાર B777-200LR ડિસેમ્બર 2022 અને માર્ચ 2023 વચ્ચે કાફલામાં જોડાશે. તે ભારતીય શહેરોમાંથી યુનાઈટેડ સ્ટેટ્સની ફ્લાઈટ સેવા માટે તૈનાત કરવામાં આવશે. મુંબઈ સાન ફ્રાન્સિસ્કોની સાથે સાથે ન્યુયોર્ક વિસ્તારના બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નેવાર્ક લિબર્ટી અને જ્હોન એફ. કેનેડીની ફ્લાઈટ્સ હશે. જ્યારે બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપશે. ખાસ વાત એ છે કે આ વિમાનો સાથે એર ઈન્ડિયા પ્રથમ વખત પ્રીમિયમ ઈકોનોમી ફ્લાઈટ્સ ઓફર કરશે.

એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કહ્યું કે લાંબા સમય પછી એર ઈન્ડિયા તેના કાફલાના વિસ્તરણને ફરી શરૂ કરીને ખૂબ જ ખુશ છે. આ નવા એરક્રાફ્ટ હાલના એરક્રાફ્ટની સાથે સેવામાં પાછા ફર્યા છે. વધુ ક્ષમતા અને કનેક્ટિવિટીની તાત્કાલિક જરૂરિયાતને પરિપૂર્ણ કરી એક મજબૂત પગલું આગળ વધારશે. આ નવા એરક્રાફ્ટ સાથે એર ઈન્ડિયાની રોમાંચક વિસ્તરણ અને નવીકરણની યોજનાઓ છે. એર ઈન્ડિયાના નેરો-બોડી કાફલામાં હાલમાં 70 એરક્રાફ્ટ છે જેમાંથી 54 સેવામાં છે. બાકીના 16 એરક્રાફ્ટ 2023ની શરૂઆતમાં સેવામાં પાછા આવશે. એ જ રીતે એર ઈન્ડિયાના વાઈડ-બોડી કાફલામાં હાલમાં 43 એરક્રાફ્ટ છે જેમાંથી 33 કાર્યરત છે. બાકીના 2023 ની શરૂઆતમાં સેવામાં પ્રવેશ કરશે.

એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે આ નવા એરક્રાફ્ટ સાથે એરલાઈન્સના કાફલામાં 25 ટકાથી વધુનો વધારો થશે. આ એરક્રાફ્ટ 2022ના અંતથી કામગીરી શરૂ કરશે. આ નવા એરક્રાફ્ટ એર ઈન્ડિયાના સંપાદન પછી પ્રથમ મોટા વિસ્તરણને ચિહ્નિત કરે છે જેમાં 10 નેરો બોડી એરક્રાફ્ટ અને છ વાઈડ બોડી એરક્રાફ્ટને બાદ કરતા જે તાજેતરના મહિનાઓમાં ફરી કાર્યરત થયા છે. જણાવી દઈએ કે એર ઇંડિયા આ વર્ષે ટાટા જૂથ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. લીઝ પર આપવામાં આવેલ એરક્રાફ્ટમાં 21 એરબસ એ320 નિયોસ, ચાર એરબસ એ321 નિયોસ અને પાંચ બોઇંગ બી777-200એલઆરનો સમાવેશ થાય છે.

Most Popular

To Top