Gujarat

વરસાદના વિધ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું ગાંધીનગર સફળ આયોજન

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધિશ પ.પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું આયોજન ગાંધીનગર પાસે રાધવ ફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. બાબા બાગેશ્વરના આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તો, મહામંડલેશ્વરો અને ગુજરાતના સાધુ-સંતો કાર્યક્રમ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતાં. બાબાએ તેમને જરાય નિરાશ નહી કરી તેમને દર્શન આપ્યા હતા.

પ્રતિકૂળ વાતાવરણ અને ભારે વરસાદની જરાચ ચિંતા કર્યા વગર બાબાજી સમારોહ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતાં તથા ભક્તો, મહામંડલેશ્વર અને સાધુ સંતોને મળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાબાજીએ હિંદુ એકતા, સામાજિક સમરસતા, જાતિવાદરહિત સનાતન ધર્મ અને હિંદુ રાષ્ટ્રની ધોષણા બાબતે પોતાના વિચારો નિખાલસતાથી રજૂ કર્યાં હતાં. હવામાનમાં અચાનક ફેરફારને કારણે સર્જાયેલા પડકારો વચ્ચે રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ ડો. ડી.જી. વણજારાએ કાર્યક્રમને સફળ બનાવવા તમામ પ્રયાસો અને વ્યવસ્થાઓ ગોઠવી હતી. આ પ્રસંગે કથાકાર ડો. જલ્પેશ મહેતા, કથાકાર ડો. રામેશ્વરબાપુ હરિયાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે જાહેર જનતા માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો અને તેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.

Most Popular

To Top