Madhya Gujarat

લીલવાપોરમાં ઘાસચારામાં આગ લાગતા અફરા તફરી, સદનસીબે કોઇ જાનિહાનિ નહીં

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ઘરની આગળ ઢગલા કરી પશુઓને ખાવા માટેનો ઘાસચારો રાખ્યો હતો. તેમાં અગમ્ય કારણોસર આગ લાગી જતાં સંપુર્ણ ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ગતરોજ ઘરની આગળ મુકી રાખેલ ઘાસચારાના ઢગલામાં અકસ્માતે આગ લાગી હતી. જેના પગલે અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો. સ્થાનીક લોકો પાણી ભરી આગ પર નાંખવાનું કામ શરૂ કર્યું હતું .

પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અને આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાવા લાગતાં આખરે ઝાલોદ ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્‌નસીબે આગમાં જાનહાની થઇ ન હતી. પશુઓને ખવડાવવા ઘાસચારાને મોટું નુકસાન પહોંચ્યું. લીમડી પોલીસ સ્ટેશનને જાણ થતાં લીમડી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આગમાં સંપુર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

Most Popular

To Top