Charchapatra

મા-બાપ ત્યજી દેવાયેલા અને નવજાત શિશુ

આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમજાને ધીમે ધીમે ઊધઇની જેમ ખાઇ રહ્યા છે. ઉપરથી મજબૂત દેખાતા આ સામાજિક સંબંધો અને સંગઠનો અંદરતી ઇગો અને પાવરની લડાઇમાં વિખરાઇ રહ્યા છે. ભીખ માગતા લોકોની સામે પણ આપણે નિરાંતે ખાઇ શકીએ છીએ. લગભગ દરેક વ્યકિતને જાણે-અજાણે બેઇમાન આકર્ષે છે.

મહાભારત કાળથી નવજાત શિશુને ત્યજી દેવાની પ્રથા ચાલાી આવે છે એટલે નવજાત શિશુને ત્યજી દેતા લોકોને કઠોર હૃદયના કહેવા કે એમની સ્થિતિ પર દયા ખાવી? વળી વૃધ્ધની કાળજી ન કરી શકતા સંતાનની કારમી પરિસ્થિતિ સમજવી કે એમને જવાબદારી પૂરી ન કરવા બદલ ધિકારવા?

ત્યજી દેવાયેલા બાળક માટે કે અશકત વૃધ્ધ ઉપર અત્યાચાર કરનાર માટે સરકારે કડક કાયદા બનાવવા જોઇએ? જેમ બળાત્કાર અને જાતિય શોષણ માટેના કાયદા વધુ સ્ત્રી તરફી બનાવવામાં આવ્યા છે એવી જ રીતે ત્યજી દેવાયેલા બાળક કે વૃધ્ધને ન્યાય મળે એ માટે સરકારે વધુ સજાગ થવાની જરૂર નથી લાગતી?

ગંગાધરા -જમિયતરામ હ. શર્મા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top