Vadodara

ફેશન ડિઝાઈનર યુવતીને બે સંતાનના પિતાએ દુષ્કર્મ કરી કુંવારી માતા બનાવી

વડોદરા: નર્મદા જિલ્લાના તિલકવાડાની રહેવાસી અને કુંવારી માતા બનેલી ફેશન ડિઝાઇનર યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર બે સંતાનોના પિતા વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે. બે સંતાનના પિતાએ યુવતીને લગ્નની વાત છૂપાવીને દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને જન્મ આપ્યા બાદ યુવાન, તેની પત્ની અને તેના મિત્રએ “તું આદિવાસી ભીલડી છે, તું અમારા ઘરમાં ન શોભે” તેમ જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બળાત્કારની કલમ હેઠગલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધીર છે.

નર્મદા જિલ્લામાં 34 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. વર્ષ-2010માં યુવતી અપડાઉન કરીને વડોદરામાં ફેશન ડિઝાઇનરનો કોર્ષ કરવા માટે આવતી હતી. તે સમયે તેનો પરિચય છોટાઉદેપુર જિલ્લાના કવાંટ એ.પી.એમ.સી. સામે નસવાડી રોડ ઉપર રહેતા પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ રામસમુજ જયશ્વાલ સાથે થયો હતો. દરમિયાન બંને વચ્ચે મોબાઇલ ફોન ઉપર વાતો થતાં એકબીજાના નજીક આવ્યા હતા. ત્યારે યુવતી સુરત નોકરી કરવા ગઇ હતી. ત્યારે પણ પ્રદિપ ઉર્ફ પપ્પુ અવાર-નવાર યુવતી સાથે મોબાઇલ ફોન ઉપર વાતચિત કરતો હતો.

દરમિયાન યુવતીના પિતાનું અવસાન થયા બાદ પ્રદિપ ઉર્ફ પપ્પુ જયશ્વાલે પુનઃ યુવતીને ફોન કરવાનું ચાલુ કર્યું હતું. અને પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી પ્રદિપ ઉર્ફ પપ્પુ જયશ્વાલે તેનો લાભ લઇ યુવતીને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રદિપ ઉર્ફ પપ્પુએ જણાવ્યું કે, તને અને તારા પરિવારને કોઇ પણ જાતની તકલિફ પડવા દઉં નહિં. તેમ જણાવી યુવતીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ વર્ષ-2014માં પ્રદિપ ઉર્ફ પપ્પુએ યુવતીને વડોદરા માંડવી બોલાવી હતી. અને ત્યાંથી સુરસાગર પાસેની એક હોટલમાં લઇ ગયો હતો.

અને ત્યાં તેને યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ પ્રદિપ ઉર્ફ પપ્પુ સાથે યુવતી વડોદરા આવતી હતી. ત્યારે પ્રદિપ તેને વાઘોડિયા રોડ ઉપર મકાનોમાં લઇ જતો હતો. તે ઉપરાંત ઉજૈન, શેરડી, મહારાષ્ટ્ર વિગરે સ્થળે લઇ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે પ્રદિપે ઉર્ફ પપ્પુએ વર્ષ-2015માં વાઘોડિયા રોડ ઉપર મકાન ભાડે રાખ્યું હતું. અને ત્યાં યુવતીને રાખી હતી. પ્રદિપ ત્યાં અવાર-નવાર આવતો હતો અને રાત્રિ રોકાણ કરી પત્ની જેવું સુખ માણતો હતો.  વર્ષ-2015માં પ્રદિપ ઉર્ફ પપ્પુ વડોદરા આવી યુવતીને લઇ અંબાજી ગયો હતો. અંબાજીમાં માતાજીની સામે યુવતીને સિંધુર ભરી પત્ની તરીકે સ્વિકાર કરી હતી. તે બાદ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. હોટલમાં ગયા બાદ  પ્રદિપે યુવતીને જણાવ્યું કે, મારી અન્ય એક પત્ની છે. અને બે સંતાનો છે અને તે પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ તને કાયદેસરની પત્ની બનાવીશ. હાલમાં પત્ની સાથે ઝઘડા ચાલે છે. તે વખતે યુવતીને ખબર પડી કે, પ્રદિપ ઉર્ફ પપ્પુ પહેલા થી જ પરિણીત છે.

અંબાજીથી પરત ફર્યા બાદ પ્રદિપ ઉર્ફ પપ્પુએ યુવતીને બે વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ મકાનો ભાડે રાખીને રાખી હતી. દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. અને વડોદરાના વાઘોડિયા રોડ ઉપરની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જે પુત્રના પિતા તરીકે પ્રદિપકુમાર ઉર્ફ પપ્પુ જયશ્વાલ નામ લખાવ્યુ હતું. પુત્રને જન્મ આપ્યા બાદ પ્રદિપની પત્નીએ યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. અને પ્રદિપ સાથે સબંધ કાપી નાંખવા માટે ધમકી આપી હતી કે, તું પ્રદિપનો પીછો નહિં છોડે તો તને કાપીને કેનાલમાં ફેંકી દઇશ. આવીજ ધમકી પ્રદિપ ઉર્ફ પપ્પુ જયશ્વાલના મનોજ સુરેશભાઇ જોષીએ પણ યુવતીને આદિવાસી ભીલડી જેવું સંબોધન કરીને ધમકી આપી હતી.

Most Popular

To Top