Dakshin Gujarat

આંબાખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોનું ડૂબી જતા મોત

ઝઘડિયા: ઝઘડિયાના આંબાખાડી ગામે શનિવારે ધોધમાં ન્હાવા આવેલા બે મિત્રો ડૂબી જવાથી કરૂણ મોત નીપજતા તેના પરીજ્નોમાં માતમ છવાઈ ગયો હતો.

  • ગડખોલ ગામના ત્રણ મિત્રો આંબાખાડી ખાતે ધોધમાં ન્હાવા ગયા હતા

અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા રહેતા ત્રણ મિત્રો શનિવારે સમય મળતા ઝઘડીયા તાલુકાના આંબાખાડી નજીક ધોધ પાસે ફરવા આવ્યા હતા.જ્યાં મનમોહક ધોધ જોતા ત્રણેયને ન્હાવા પડ્યા હતા.પાણીમાં ન્હાવાનો ભારે ઉમંગ હતો.જેમાંથી બે મિત્રો અચાનક પાણીના વહેણમાં ગરકાવ થઇ ગયા હતા.એ જોઈ ત્રીજા મિત્રએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવીને યુવાનોને બચાવવા પ્રયાસ કર્યા હતા.તેમજ સ્થાનિક તરવૈયાઓને શોધખોળ આદરતા આખરે પાણીમાં ડૂબેલા વૈકુંઠભાઈ પટેલ(ઉ.વ.૧૯) તેમજ નિરવ જેન્તીભાઈ ઠાકોર (ઉ.વ.૧૯)નો શ્વાસ બંધ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર ઘટના બાબતે પરિજનો સ્થળ પહોચતા હૈયાફાટ રૂદન સાથે વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાબતે રાજપારડી પોલીસ કાફલો સ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બંને આશાસ્પદ યુવાનોના પોસ્ટમોર્ટમ કરવા અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતો.

Most Popular

To Top