Entertainment

જીમમાં એટેક આવતા ટીવી સિરીયલોના વધુ એક અભિનેતાનું મોત

મુંબઈ: ટીવી (TV) જગતમાં વધુ એક એક્ટરનું (Actor) મોત (Death) થયું હોવાનું સામે આવ્યું છે. કસૌટી ઝિંદગી કીના એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Siddhant Veer Suryavanshi) 46 વર્ષની વયે નિધન થતાં ટીવી જગતમાં વધુ એક ઝટકો લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાંતનું મોત વર્કઆઉટ (Work out) દરમિયાન હાર્ટ એટેકના કારણે થયું છે. આ વાતની જાણકારી એક્ટર જય ભાનુશાલીએ આપી હતી.

મળતી માહિતી અનુસાર સિદ્ધાંત શુક્રવાર સવારથી જ સારું ફિલ ન કરી રહ્યો હતો. છતાં પણ તે જીમમાં (Gym) ગયો હતો. અને જિમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે અભિનેતાનું મૃત્યુ થવાની સંભાવના છે. વર્કઆઉટ દરમિયાન તેને છાતીમાં દુ:ખાવો થતા તેના જીમ ટ્રેનર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર તબીબીએ તેને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં ટીવી કલાકરોની દુનિયામાં આ ત્રીજુ મૃત્યું છે. કોમિડયન રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાન પછી આ ત્રીજું મૃત્યુ છે. સિદ્ધાંત ‘કુસુમ’, ‘વારિસ’ અને ‘સૂર્યપુત્ર કરણ’ જેવી જાણીત સિરિયલો અભિનય કર્યો છે અને ખુબ પ્રખ્યાત પણ થયો છે. ટીવી એક્ટર જય ભાનુશાળીએ ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા છે. સિદ્ધાંત વીરના પરિવારમાં પત્ની એલિસિયા રાઉત અને બે બાળકો છે. સિદ્ધાંત ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક હતો.

જય ભાનુશાળીએ કન્ફર્મ કર્યું
એક્ટર જય ભાનુશાળીએ સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભાનુશાળીએ સિદ્ધાંત વીરનો ફોટો શેર કરતા લખ્યું કે, ‘ભાઈ, તમે બહુ જલ્દી ચાલ્યા ગયા.’ તેણે કહ્યું કે મને આ સમાચાર એક કોમન ફ્રેન્ડ પાસેથી મળ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેનું મૃત્યુ થયું હતું.

સિદ્ધાંત વીર સૂર્યવંશી કોણ હતા?
સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. તેઓ આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતા હતા. તેણે ટીવી સિરિયલ ‘કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ઘરમાં પોતાની છાપ પાડી. ‘કસૌટી ઝિંદગી કી’, ‘કૃષ્ણ અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’થી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દીમાં ઉડાન ભરી હતી. તેમના છેલ્લા પ્રોજેક્ટ્સ ટીવી શો ‘ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ અને ‘ઝિદ્દી દિલ’ હતા.

વિવાદાસ્પદ અંગત જીવન
સિદ્ધાંત વીર સૂર્યવંશીનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે. અગાઉ તેણે ઈરા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બે વર્ષ પછી સિદ્ધાંત ફરીથી પ્રેમમાં પડ્યો. તેણે એલિસિયાને પોતાનું દિલ આપ્યું હતું. તેને પ્રથમ લગ્નથી એક પુત્રી હતી. બીજા લગ્ન પછી તેને એક પુત્ર થયો. સિદ્ધાંત અને એલિસિયા બંને બાળકોની સંભાળ એક સાથે રાખતા હતા.

Most Popular

To Top