SURAT

સળિયાના ડામ દઈ બેરહેમીથી હત્યા કરી યુવકની લાશ સુરતની કાપડ માર્કેટ પાસે ફેંકી દીધી

સુરત: સારોલી વિસ્તારમાં આવેલી આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાસે ગુરૂવારે એક યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે આ બનાવને લઇને આજે શુક્રવારે સવારે સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમની બહાર મૃતકના સગા સંબધીઓ અને સમાજના લોકો ભેગા થયા હતા અને માર્કેટના વૉચમૅનો દ્વારા ગરમ સળિયાના ડામ આપી બેરહેમીપૂર્વક માર મારી તેને મોતને ઘાટ ઉત્તારી દેવાના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી.

સારોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા ખાતે આવેલ માનસરોવર સોસાયટીમાં રહેતા પુખરાજ સત્યનારાયણ સુથાર (ઉ.વ.32 ) ને ગઈ કાલે સાંજે ચારેક વાગ્યે ડુંભાલ મર્ગોબ તરફ આવેલી આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં અજાણયા ઈસમોએ કોઈ પણ હથિયારથી માર મારી તેની હત્યા કરી હતી. પોલીસ મૃતકનો મૃતદેહ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

સુરતના ભાઠામાં ઘરમાં ઘુસી સસરા અને સાળાએ જમાઈને માર્યો
સુરત: શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં ભાઠાગામની ગ્રીન સિટીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો થયો છે. સસરા, સાળાએ જબરદસ્તી ઘરમાં ઘુસી જઈ કોન્ટ્રાક્ટર પર હુમલો કરી ઢીક મુક્કીનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં સમાજમાં અમારા વિશે કંઈ બોલશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. કોન્ટ્રાક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ કેસની વિગત એવી છે કે ગ્રીન સિટીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર દિનેશ માવજી બોરસલીવાળાએ ગુરુવારે સસરા, સાળા અને સાળાની પત્ની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. ઉધના સાઉથ ઝોન ઓફિસ રોડ પર તેરાપંથ ભવનની સામે મીરાનગરમાં રહેતા સસરા દામજી શામજી પ્રજાપતિ, સાળા મેહુલ પ્રજાપતિ અને તેની પત્ની નિકીતા ગઈ તા. 27 ઓગસ્ટના રોજ બપોરે દિનેશ બોરસલીવાળાના ઘરે આવ્યા હતા અને જુની અદાવત રાખી દિનેશભાઈની પત્ની સાથે ગાળાગાળી કરી હતી. તમાચા માર્યા હતા. સાળા મેહુલે પિત્તળના વાસણથી દિનેશ બોરસલીવાળાના મોંઢા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દિનેશભાઈને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું હતું. જતા જતા આરોપીઓએ ધમકી આપી હતી કે આજે બચી ગયા છો બીજીવાર સમાજની વચ્ચે કશું બોલ્યા તો જીવતા નહીં રહેવા દઈશું. દિનેશભાઈએ સાસરીયા વિરુદ્ધ ફરિયાદ આપી છે.

Most Popular

To Top