Entertainment

પત્નીનીથી હેરાન થઇ સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે લગ્નના 16 વર્ષ પછી છૂટાછેડા લીધા

મુંબઇ: સેલિબ્રિટી શેફ (Celebrity Chef) કુણાલ કપૂર (Kunal Kapoor) હાલમાં તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હકીકતમાં થોડા સમય પહેલા કુણાલ કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ ક્યારેય તેના માતા-પિતાનું સન્માન કર્યું નથી અને તે હંમેશા તેનું અપમાન કરે છે.

કોર્ટનું કહ્યુ હતું કે મહિલાનું વર્તન શેફ પ્રત્યે સારું ન હતું. તેમજ ફેમિલી કોર્ટમાં કુણાલની ​​છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ સાથે જ કુણાલ કપૂરની પત્નીએ પણ તેમના ઉપર કોર્ટને ગેરમાર્ગે દોરવા અને તેણી પર ખોટા આક્ષેપો કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેણીએ આરોપ લગાવ્યો હતો કે કુણાલે તેણીને અંધારામાં રાખી હતી અને છૂટાછેડા લેવા માટે ખોટી વાર્તાઓ રચી હતી. હવે આ મામલે દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. તેમજ આ જોડાને છૂટાછેડાની મંજૂરી આપી હતી.

લગ્નના 16 વર્ષ બાદ કુણાલ કપૂર તેમની પત્નીથી અલગ થયા
કુણાલ કપૂરે 2008માં એકતા કપૂર નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ તેઓ 2012માં એક દિકરાના માતા-પિતા પણ બન્યા હતા. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંનેના સંબંધો બગડવા લાગ્યા. પોતાની અરજીમાં સેલિબ્રિટી શેફે એકતા પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેની પત્નીએ ક્યારેય તેના માતા-પિતાનું સન્માન કર્યું નથી. તે હંમેશા તેનું અપમાન કરતી હતી. કુણાલનું કહેવું છે કે તેની પત્ની હંમેશા તેને અને તેના પરિવારને પરેશાન કરતી હતી.

બીજી તરફ શેફની વાઇફનું કહેવું છે કે તેણીએ હંમેશા પત્નીની જવાબદારીઓ નિભાવી છે. તેણી હંમેશા તેના પતિ અને પરિવાર પ્રત્યે વફાદાર રહી છે. શેફની પૂર્વ પત્નીનું કહેવું છે કે કુણાલે તેણીને અંધારામાં રાખી છે અને છૂટાછેડા માટે ખોટી વાર્તાઓ બનાવી છે.

કોર્ટે શેફની તરફેણમાં ચુકાદો આપ્યો
પોતાનો ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે શેફ વિરૂદ્ધ કોઇ પુરાવા કોર્ટમાં સાચા સાબિત થઇ શક્યા નથી. ખોટા આરોપો દ્વારા તેમની પબ્લિક ઇમેજ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેણે ખરેખર ક્રૂરતાની હટ વટાવી છે. ત્યાર બાદ કોર્ટે શેફની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેમજ તેમને ડાઇવોર્સ લેવાની પરવાનગી આપી હતી.

Most Popular

To Top