Vadodara

 વડોદરા: કમાટી બાગમાં 3 મહિના બાદ જોય ટ્રેન શરૂ થશે, વેકેશનમાં બાળકોની માગના પગલે નિર્ણય

વડોદરાના સાયાજીબાગ ખાતે બાળકોના મુખ્ય આકર્ષણ એવી જોય ટ્રેન છેલ્લા 3 મહિનાથી બંધ હતી જે શુક્રવારથી પુનઃ શરૂ થશેશહેરના સયાજીબાગ ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે તેમાંય ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર એટલે જોય ટ્રેન. પરંતુ આ જોય ટ્રેન હરણી દુર્ઘટના બાદ બંધ કરવામાં આવી હતી. અને તેના કારણે સયાજી બાગમાં આવતા બાળકો નિરાશ થઈ ઉડતા હતા પરંતુ હવે જ્યારે વેકેશનનો સમય શરૂ થશે ત્યારે આ ટ્રેન પુનઃ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર દ્વારા જોય ટ્રેન પુનઃ શરૂ કરવા માટેની વિચારણા કરવામાં આવી છે અને આ ટ્રેન શુક્રવારથી પુનઃ એકવાર શરૂ કરવામાં આવશે તેના કારણે બાળકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Most Popular

To Top