Gujarat

કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી, 2022ની ચૂંટણી રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે: સીઆર પાટીલ

ગાંધીનગરમાં શ્રી કમલમ કાર્યાલય ખાતે 15મી ઓગસ્ટે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે, સરકારમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. એટલું જ નહીં આગામી 2022ની ચૂંટણી સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં જ લડાશે.

સીએમ બદલાશે તેવી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી તમામ અટકળોનો હવે પાટીલે અંત લાવી દીધો છે. કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ બાદ પાટીલે કરેલી વાતથી રૂપાણીના વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ છે.
પાટીલે સ્પષ્ટ કહી દીધું હતું કે, આગામી 2022ની ચૂંટણી ભાજપ સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન પટેલના નેતૃત્વમાં લડશે

Most Popular

To Top