Madhya Gujarat

આ દિવસોમાં પાવાગઢ દર્શને ચડીને જવું પડશે, રોપવે રહેશે બંધ

યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સેવા તારીખ 18 થી 23 માર્ચ બંધ રહેનાર છે. રોપ-વે ની મેઇન્ટેનન્સ કામગીરીની કારણે 6 દિવસ સુધી અહીં આવતા દર્શનાર્થીઓને પગપાળા માતાજીના દર્શન કરવા માટે જવું પડશે.

પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્થાનિક સહિત અન્ય રાજ્યમાંથી પણ ઘણા બધા માઇભકતો ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આવતા હોય છે. માતાજીના દર્શન કરવા આવતા મોટાભાગના ભક્તો ઉષા બ્રેકો લીમીટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે )સેવા દ્વારા જવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે તારીખ 18 થી 23 માર્ચ દરમિયાન મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ દિવસોમાં રોપ-વે સેવા સંપૂર્ણ બંધ રહેનાર છે. જ્યારે ઉડન ખટોલા આ 6 દિવસોમાં બંધ રહેતા અહી દર્શનાર્થે આવતા માઇ ભક્તોને પગથિયાં ચઢી ને માતાજી ના દર્શન કરવા જવું પડશે.

Most Popular

To Top