Gujarat

બીજા લગ્ન કરી પતિ પહેલી પત્નીને લેવા સાસરે પહોચ્યો, પછી ત્યાં થયું એવું કે…

અમદાવાદ: પહેલી અને બીજી પત્નીને સાથે રાખવાના ઝઘડામાં જમાઈએ સાસુને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદનાં બાપુનગરમાં રહેતા પરિવારની દીકરી પતિના ગુનાઓનાં કારણે પિયર આવી ગઈ હતી. પતિએ પિયર આવેલી પત્નીની જાણ બહાર જ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને પત્નીને સાથે રાખવાની પતિએ જીદ પકડી હતી. જો કે સાસુ અને સસરાએ તેમની દીકરીને મોકલવાનો ઈનકાર કરતાં મામલો ગંભીર બની ગયો હતો. જમાઈએ આક્રોશમાં આવીને સસરા અને સાસુને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં સાસુનું મોત નીપજ્યું હતું.

અમદાવાદ શહેરમાં આવેલા બાપુનગરમાં ટીનાભાઈ રાજભર તેમના પરિવાર સાથે રહે છે. તેઓ એક કન્સ્ટ્રકશન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરીના લગ્ન વર્ષ 2020માં દીપુ પગી સાથે કરાવ્યા હતા. લગ્નના દોઢેક વર્ષ સુધી દીકરી દીપુ સાથે રહેતી હતી. પરંતુ જમાઈ ચોરીઓ કરતો હતો અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં રિક્ષાની ચોરીમાં પકડાયો હતો. પતિના ધંધા સારા ન હોવાના કારણે દીકરી પિયર પરત આવી ગઈ હતી.

પહેલી પત્નીને લેવા આવતા કર્યો ઝઘડો
જો કે આ દરમિયાન દીપુએ પત્નીની જાણ બહાર જ અન્ય એક છોકરી સાથે લગ્ન કરી લીધા હતા.દીપુ તેની સાસુને જણાવતો કે મેં બીજા લગ્ન કરી લીધા છે, પરંતુ હું તમારી દીકરીને રાખીશ અને બીજી પત્નીને પણ રાખીશ. તમારી દીકરીને મારી સાથે મોકલો એમ કહી ઝઘડો-તકરાર કરીને જતો રહેતો હતો. ગત રવિવારના રોજ ટીનાભાઇ રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા અને બાદમાં ઘરની બહાર બેઠા હતા એ દરમિયાન તેમની દીકરીનો પતિ દીપુ પગી તેમના ઘર પાસે દૂર ઊભો હતો અને બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે તમારી દીકરીને મારી સાથે મોકલો. જેથી ટીનાભાઇ અને તેમની પત્ની તેની પાસે ગયા હતા અને કહ્યું, તે બીજા લગ્ન કરી લીધા છે, જેથી મારી દીકરીને તારી સાથે નહીં મોકલીએ, આજ પછી આવતો નહીં.

સાસુને ચપ્પુ મારી જમાઈ ફરાર
ટીનાભાઈની વાતના પગલે ઉશ્કેરાઈ ગયેલા દીપુએ ટીનાભાઇ અને તેમની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ટીના ભાઈની પત્ની અને દીકરી બંને તેમને છોડાવવા વચ્ચે પડતાં દીપુએ આવેશમાં આવી છરી કાઢી ટીનાભાઇને બે ઘા મારી દીધા હતા. જેથી ટીનાભાઈની પત્ની વચ્ચે પડતાં જમાઈ દીપુએ સાસુ સાવિત્રીબહેનને પણ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જેથી તેઓએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી જતાં દીપુ પગી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં ટીનાભાઇ અને તેમની પત્ની સાવિત્રીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં સાવિત્રીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેથી ટીનાભાઈએ આ અંગે દીપુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા, મારામારી ધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top