Charchapatra

શિક્ષણ વિશેનાં યુનેસ્કોના અહેવાલને સરકાર ગણકારતી નથી

કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિના ઢોલ વગાડવામાંથી ઉંચી આવતી નથી પણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણને મામલે સ્થિતિ ચિંતાજનક હોવાનું યુનેસ્કોએ તેના 2021 સ્ટેટ ઓફ એજયુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયાનો ટીચર્સ નો કલાસમાં જણાવ્યું છે કે ભારતમાં 1.1 લાખ શાળાઓ એવી છે જયાં માત્ર એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવે છે. દેશની શાળાઓમાં 19 ટકા એટલે કે 11.16 લાખ શિક્ષકોની જગ્યા ખાલી છે. ધોરણ ત્રણ, પાંચ અને આઠના વિદ્યાર્થીઓના ઓછા ભણતર સાથે આ વર્તમાન સ્થિતિને સાંકળીને યુનેસ્કો દ્વારા શિક્ષકોની નોકરીઓના નિયમો સુધારવાની તથા ગામડાઓમાં કામ કરવાની સ્થિતિ સુધારવાની ભલામણ કરવામાં આવી છે.

શિક્ષકોને ફ્રન્ટ લાઇન વર્કર તરીકે માન્યતા આપવા માટે પણ જણાવાયું છે. યુપીમાં 3.2 લાખ, બિહારમાં 2.2 લાખ અને પશ્ચિમ બંગાળમાં 1.1 લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. જયારે મધ્યપ્રદેશમાં 21077 શાળાઓ એવી છે કે જયાં એક જ શિક્ષક કામ કરે છે. મોટા ભાગની શિક્ષકોની જગ્યાઓ ગામડાઓમાં ખાલી પડી છે. યુનેસ્કોના અહેવાલમાં શિક્ષકોની કારકિર્દી સુનિશ્ચિત કરવાપર ભાર મુકવામાં આવ્યો છે. કેન્દ્ર રકારે યુનેસ્કોના અહેવાલને લક્ષમાં લઇ તાકીદે યોગ્ય ઘટતા પગલાઓ લેવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top