Dakshin Gujarat

મહારાષ્ટ્રથી પ્રેમી સાથે ભાગી અંકલેશ્વર આવેલી યુવતી આવી હાલતમાં તળાવમાંથી મળી

સુરત(Surat) : અંકલેશ્વરના (Ankleshwar) તળાવમાંથી (Lake) યુવતીનો મૃતદેહ (Deadbody) મળતા ચકચાર મચી ગઈ છે. કોથળામાં મૃતદેહ નાંખી પત્થર બાંધી હત્યારાઓએ મૃતદેહ તળાવમાં ફેંક્યો હોવાનું ખુલ્યું છે. આ યુવતી મૂળ મહારાષ્ટ્રની રહેવાસી હોવાનું અને પ્રેમી સાથે ભાગીને આવ્યા બાદ અંકલેશ્વરમાં રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મહારાષ્ટ્રથી પ્રેમી સાથે ભાગીને અંકલેશ્વરમાં રહેતી યુવતીનો મૃતદેહ કોથળામાં નાંખી પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દેવાયો થી મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં યુવતી 21 દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતીના પ્રેમીનો ભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે પ્રેમી ફરાર છે. તપાસ PI અંકલેશ્વર કરી રહ્યા છે.

અંકલેશ્વર પોલીસે જણાવ્યું હતું કે ખાનગી વ્યક્તિની માહિતી બાદ તપાસ કરતા તળાવમાંથી પથ્થર બાંધેલો કોથળો મળી આવ્યો હતો. જેમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી. તપાસમાં યુવતી મહારાષ્ટ્રીયન હોવાનું અને બે વર્ષ પહેલા યુવક એટલે કે પ્રેમી સાથે ભાગી ને અંકલેશ્વરમાં રહેતી આવી હોવાનું બહાર આવ્યું હતું. જોકે હાલ યુવતીનો પ્રેમી ફરાર છે. જ્યારે પ્રેમીના ભાઈની પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે યુવતીનો પ્રેમી મજૂરી કામ કરતો હોવાનું અને પોલીસ અટકાયતમાં આવેલો યુવક (ફરાર પ્રેમી નો ભાઈ) ગેરેજ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. યુવતીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહના નિકાલ કરી દેવાના ઇરાદે કોથળામાં ભરી પથ્થર બાંધી તળાવમાં નાખી દેવાયો હોવાનું કહી શકાય છે. પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે યુવતીના મૃતદેહને સુરત સિવિલ લઈ આવી છે. આગળની તપાસ PI વાળા અંકલેશ્વર કરી રહ્યા છે.

Most Popular

To Top