Vadodara

વરઘોડામાં ગયેલી 13 વર્ષીય સગીરા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું

વડોદરા: વડોદરા જીલ્લાના ડેસર તાલુકામાં આવેલા કોઠારા ગામે ત્રણ હવસખોર નરાધમો દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદને પગલે ડેસર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.સગીરાના પિતાની ફરિયાદને પગલે ડેસર પોલીસે એક નરાધમ યુવકને ઝડપી પાડ્યો છે.જ્યારે અન્ય બે યુવકો ફરાર થઈ જતા પોલીસે તેઓની શોધખોળ હાથધરી છે.

ડેસર તાલુકાના કોઠારા ગામે ગુરુવારે રાત્રે ગામમાં લગ્ન પ્રસંગનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં ગામમાં રહેતી અને ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા ગઈ હતી.દરમિયાન વરઘોડો વાઘેશ્વરી માતાજી મંદિર પાસેના ફળિયામાં રોકાયો હતો.જ્યાં સગીરા મંદિરના ઓટલા પર થાકી ગઈ હોવાથી બેસી ગઈ હતી.

દરમિયાન ગામનો યુવક ચિરાગ બાબુભાઈ માછી તેની પાસે ધસી આવ્યો હતો.અને મારી સાથે ચાલ તેમ કહી મંદિરની પાછળના ભાગે આવેલ ઝાડીઓમાં ખેંચીને લઈ ગયો હતો.દરમિયાન ઝાડીઓમાં અન્ય બે યુવાનો ભુપેન્દ્ર કાંતિભાઈ માછી અને પરેશ ઉર્ફે બટાકી મનુભાઈ માછી પણ ત્યાં આવી ચડ્યા હતા.અને ત્રણેય નરાધમોએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ સમયે શિકાર બનેલી સગીરાએ બુમરાણ મચાવી મૂકી હતી.જોકે વરઘોડામાં ઘોંઘાટ હોવાથી સગીરાનો અવાજ ગામના લોકો સાંભળી શક્યા ન હતા.જ્યારે નરાધમો સગીરાને પીંખી નાખી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ડેસર તાલુકાના કોઠારા ગામે ગતરાત્રીએ ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગનો વરઘોડો નીકળ્યો હતો.દરમિયાન ગામની એક સગીરાને ગામનો ચિરાગ માછી હાથ પકડીને મંદિરની પાછળના ભાગે અંધારામાં ખેંચીને લઈ ગયો હતો.

લાઉડ સ્પીકરનો ઘોંઘાટ હોવાથી ગામના બીજા કોઈ વ્યક્તિ જાણે તે પહેલાં ગામના બીજા હવસખોર યુવાનો ભુપેન્દ્ર માછી અને પરેશ ઉર્ફે બટાકી સગીરા પર તૂટી પડ્યા હતા.અને સામુહિક દુષ્કર્મ આચરી સગીરાને પીંખી નાખી હતી.આ અરસામાં નાના બાળકોની ચહલ પહલ અને થોડી બુમાબુમ થતા ઘટનાસ્થળેથી ચિરાગ,ભુપેન્દ્ર અને પરેશ ઉર્ફે બટાકી ભાગી છૂટ્યા હતા.સગીરાના માતાપિતાને જાણ થતાં સગીરાના પિતાએ 181 મહિલા અભિયમ હેલ્પલાઇન ઉપર ફોન કરી સામુહિક દુષ્કર્મની વાત કરી હતી.ત્યારબાદ ડેસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.અને રાત્રી દરમિયાન પરેશ ઉર્ફે બટાકીને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ પોલીસે હાથધરી છે.

નાનકડા ગામમાં રાત્રી દરમિયાન સામુહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચ્યો હતો.સગીરાના પિતાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં લગ્ન પ્રસંગ હતો.જેનો વરઘોડો નીકળ્યો હોવાથી મારી નાની દીકરી તે વરઘોડામાં ગઈ હતી.વરઘોડો અડધો થયા પછી મંદિરે ગયા હતા.જ્યાં મારી નાની દીકરીને કેટલાક યુવકો ઊંચકીને લઈ ગયા અને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.જેની અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ડેસર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top