Gujarat

થરાદ-ડીસા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠાથી (Banaskantha) એક ગોઝારા અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. થરાદ-ડીસા હાઈવે (Highway) પર ખોરડાં નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા હતા. ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

  • થરાદ-ડીસા હાઇવે પર ખોરડા ગામ પાસે ગોઝારો અકસ્માત
  • ટ્રકચાલકે કારને અડફેટે લેતા કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત
  • તમામ  મૃતકો વાવના ડાભલિયા વાસના રહેવાસી

થરાદ-ડીસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કારમાં સવાર એકજ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામ  મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

Most Popular

To Top