Entertainment

મહેન્દ્ર સિંહ ધોનીને ખાસ મિત્રોએ જ 15 કરોડનો ચૂનો લગાવ્યો, કોર્ટમાં નોંધાવ્યો કેસ

રાંચી: દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra singh Dhoni) સાથે તેમના ખાસ મિત્રોએ છેતરપિંડી (Fraud) કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ધોનીને 15 કરોડનું નુકસાન થયું છે. અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સોમ્યા વિશ્વાસ મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ મિત્ર અને સાથે સાથે બિઝનેસ પાર્ટનર (Business Partner) પણ છે. જો કે હવે ધોનીએ તેમની સામે રાંચી કોર્ટમાં (Ranchi Court) ક્રિમિનલ કેસ નોંધાવ્યો છે.

મળતી માહિતી મુજબ મિહિર દિવાકરે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે 2017માં મહેન્દ્ર સિંહ ધોની સાથે કરાર કર્યો હતો. પરંતુ દિવાકરે કરારમાં દર્શાવેલ શરતોનું પાલન કર્યું ન હતું. આ કિસ્સામાં, અર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવાની હતી. કરાર હેઠળ, નફો વહેંચવાનો હતો, પરંતુ કરારના તમામ નિયમો અને શરતોનો મિહિર દિવાકર દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2021ના રોજ આર્કા સ્પોર્ટ્સમાંથી ઓથોરિટી લેટર પાછો ખેંચી લીધો હતો. ધોની દ્વારા તેને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી. આ પછી ધોનીના વકીલ દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અર્કા સ્પોર્ટ્સે તેની સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે તેને 15 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કરારની શરતો મુજબ, ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફાના નાણાં વહેંચવા માટે બંધાયેલું હતું, પરંતુ કથિત રીતે તેમ કર્યું ન હતું. વારંવાર રીમાઇન્ડર હોવા છતાં, કરારની શરતોની કથિત અવગણના કરવામાં આવી હતી, જેના કારણે ધોનીએ 15 ઓગસ્ટ, 2021ના રોજ ફર્મને આપવામાં આવેલ ઓથોરિટી પત્રને રદ કર્યો હતો. ધોનીએ ઘણી કાનૂની નોટિસ પણ મોકલી, પરંતુ કંઈ થયું નહીં.

તાજેતરમાં ઋષભ પંત સાથે લાખો અને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કામ મૃણાંક સિંહ નામના વ્યક્તિએ કર્યું હતું. તે 25 ડિસેમ્બરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. એવો દાવો કરવામાં આવે છે કે હરિયાણાના ફરીદાબાદના રહેવાસી આરોપી મૃણાંક સિંહે અંડર-19 સ્તરે રાજ્યની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો પણ દાવો કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃણાંકે 2020-2021માં ઋષભ પંત સાથે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃણાંકે પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો મેળવવાની લાલચ આપી હતી. આ કારણે રિષભ પંતના મેનેજરે પણ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top