uncategorized

તારા સુતરીયા અદાર જૈનને પરણી કપૂર સાથેનું કનેકશન મજબૂત કરવા માંગે છે?

તારા સુતરીયાની કારકિર્દી હજુ પરવાન ચડી નથી ત્યાં તેના અદાર જૈન સાથેના રોમાન્સની ચર્ચા છે. આ રોમાન્સ ગમે ત્યારે લગ્નમાં ફેરવાય શકે છે એવું ય ઘણા માની રહ્યા છે. સ્વયં તારા અને આદર પણ કહી રહ્યા છે કે અમે અત્યારે એકબીજા સાથે એકદમ ખુશ છે. આદર આ પહેલાં એમેઝોન પ્રાઇમ વિડીયોની ‘હેલો ચાર્લી’ માં દેખાય ચુકયો છે. અને હવે તારા – અદાર બન્ને એકાદ ફિલ્મમાં સાથે આવે તેવી પણ તૈયારી થઇ ચૂકી છે. તારા અત્યારે તો અહાન શેટ્ટી સાથેની ‘તડપ’માં રોકાયેલી છે જે આ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની ધારણા છે. કહે છે કે અદાર અને તારા બન્ને સપ્ટેમ્બર સુધી રાહ જોઇ એમ લાગતું નથી. શું આ બન્નેએ પરણી જવું જોઇએ? તારાની કારિકર્દી હજુ બે વર્ષ પહેલાં ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-ટુ’થી શરૂ થઇ હતી અને પછી એક ‘મરજાવાં’ જ આવી છે. ‘હીરોપંતી-2’ અને ‘એક વિલન રિટર્ન્સ’નાં શૂટિંગ ચાલી રહ્યા છે. ટી.વી. પર કામ કરવાનું તો તેણે સાતેક વર્ષથી બંધ કરી દીધું છે.

અદારે તો તારાથી પણ ઘણું ઓછું કામ કર્યું છે. ‘એ દિલ હે મુશ્કિલ’ માં તે ટ્રેઇની આસિસ્ટન્ટ ડાયરેકટર હતો અને પછી ‘કેદી બેન્ડ’ ને ‘હેલો ચાર્લી’માં કામ કર્યું અને અત્યારે ‘ખેલ ખેલ મેં’ માટે તૈયારી કરી રહ્યો છે. તારા સુતરીયા તેના તરફ આકર્ષાયેલી છે તેના કારણમાં તે રાજકપૂરની દિકરી રીમા જૈનનો દિકરો હોવાનું પણ કારણ છે. અદારના પિતા મનોજ જૈન સફળ ઉદ્યોગપતિ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. જેમ ઐશ્વર્યા રાય એ માટે અભિષેકને પરણેલી કે તે અમિતાભનો દિકરો છે. અિભનેત્રીઓ પોતાની સલામતી ઉદ્યોગપતિ પરિવારમાં શોધે છે અને આદર જૈનની મમ્મી રાજકપૂરની દિકરી છે એટલે તેને એવું હશે તો કપૂર કુટુંબ સાથે જોડાઇ જઇશ. અલબત્ત, તે જો અદાર સાથે જલદી પરણી જશે તો તેની ફિલ્મી કારકિર્દી રૂંધાઇ જશે. હા, તે બહુ મહત્વાકાંક્ષી ન હોય તો વાત જુદી. અદાર જૈન અત્યારે લવબર્ડસ તરીકે જ વાત કરે છે એટલે એવું તો નહીં કહેશે કે જો અમે પરણી જઇશું તો તારા ગૃહિણી બનીને જ રહેશે. પરંતુ તેમણે બન્નેએ આ વિશે સ્પષ્ટતા તો કરવી જ પડશે.

એવું પણ બને કે તારાના કારણે આદરની ફિલ્મ કારકિર્દી આગળ વધી શકે. અત્યાર પહેલાં તો તે કશું નથી કરી શકયો પણ તારા સાથે ફિલ્મોમાં આવે તો તેની સ્ટાર વેલ્યુ વધી શકે છે. તારા અત્યારે એવા લેવીશ એપાર્ટમેન્ટમાં રહે છે કે બીજાને ઇર્ષા આવી શકે. ફિલ્મો પહેલાં ટી.વી.માં નામ અને દામ કમાવાના કારણે તે પોતાની જીવનશૈલી ઊભી કરી શકી છે. આમ પણ તે મુંબઇની જ છે. આ પહેલાં વિનોદ મહેરાના દિકરા રોહન સાથે પ્રેમમાં હોવાની અફવા રહી ચુકી છે. પણ તેમાં નકકર કશું ન હતું. અદાર સાથે તો ઠેઠ સગાઇ અને લગ્ન સુધી વાત પહોંચી છે. તારાને ખૂબ ગમતો અભિનેતા રણબીર કપૂર છે એટલે કહી શકાય કે કપૂર કનેકશન તો પહેલેથી તેણે ઊભું કરેલું જ છે. વિદેશોમાં તે ગાયિકા તરીકે શો કરી ચુકી છે અને પોતે પ્રશિક્ષીત ડાન્સર પણ છે. હવે તે પોતાની પ્રતિભાને વધુ નિખારવા માંગે છે પણ આદર જૈન સાથેના સંબંધથી એ શકયતા વધશે કે ઘટશે?

અત્યારે તે વધુ કહી શકતી નથી કારણ કે કપૂર કુટુંબમાં રણબીર – આલિયાના લગ્ન કયારે થશે તેની ચર્ચા હવામાં છે ત્યારે તારા – આદર તરત પરણે એવું કહી નહીં શકાય. કોરોનાનો સમય કાંઇ મેરેજમાં ખર્ચી શકાય. હા, રોમાન્સ બરાબર છે! પણ એવું જરૂર લાગે છે કે તારા – આદરના લગ્નની શરણાઇ ગમે ત્યારે વાગશે ખરી! આદર તારાને જુએ છે ત્યારે આખું આકાશ પણ દેખાય છે. આકાશ તેને કયાં લઇ જશે?

Most Popular

To Top