SURAT

ગર્લફ્રેન્ડના ઝઘડામાં 11 વર્ષના બાળકની ક્રુર હત્યા, સુરતની ચોંકાવનારી ઘટના

સુરત : ગર્લફ્રેન્ડ સાથે વાત કેમ કરે છે એમ કહી સુરતના પાંડેસરામાં 11 વર્ષના બાળકના શરીર પર હથિયારથી 14 ઘા મારી તેની ક્રુર હત્યા કરી દેવાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં હુમલાખોર પણ સગીર વયનો હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં એક 11 વર્ષના બાળકિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત માસુમ બાળ કિશોરનું સુરત સિવિલ હોસ્પિટલમાં 30 દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેના દીકરાના હત્યારા બે હતા. તે પૈકી એક પકડાયો હતો, પરંતુ તે 9 મી નવેમ્બરે જામીન પર છૂટી ગયો છે. 14 ઘા મરનાર મુખ્ય આરોપી હજી ફરાર છે. હુમલાખોરનો ભાઈ સમાધાન કરવા દબાણ કરી રહ્યાં છે. પોલીસ સ્ટેશનમાં 25 હજાર આપ્યા હોવાના દાવા પણ તે કરી રહ્યો છે.

17મી ઓક્ટોબરે હુમલો થયો હતો
પીડિત પિતા કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે ઘટના 17 ઓક્ટોબર ની રાત્રે બની હતી. તેમનો દીકરો કચરો ફેંકવા માટે ખાડી પાસે ગયો હતો. ત્યાં જ તેને પેટ,પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં 14 ઘા મારવામાં આવ્યા હતા. હુમલાખોર 16 થી 17 વર્ષના છોકરાએ ઘા માર્યો હોવાનું સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હોવાથી કુલદીપ શર્માના દીકરા ને 14 ઘા માર્યા હોવાનું પોલીસના હાથે પકડાયેલા આરોપી બાળ કિશોરે પોલીસમાં કબૂલાત કરી હતી. જ્યારે આ હત્યામાં એક બાળ કિશોરનો રોલ ભોગ બનનાર ને પકડી રાખવાનો અને ઘા મરનાર બાળ કિશોર જે હાલ પોલીસ પકડથી દૂર છે એને નિમર્મ રીતે હત્યા કરી છે.

હુમલાખોર સગીર આરોપી હજુ ફરાર
વધુમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર માસુમ કિશોર ત્રણ મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવ્યો હતો. ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. એને એક ભાઈ અને બે બહેન છે. પિતા ફેબ્રીકેશનના કામકાજ સાથે સંકળાયેલા છે. હત્યા કેસમાં પોલીસે જે આરોપીને પકડ્યો હતો એને પણ 9 નવેમ્બર ના રોજ જામીન મળી ગયા હતા. જ્યારે પોલીસે મુખ્ય હુમલાખોર બાળ કિશોર હજી ફરાર છે. જ્યારે તેના ભાઈઓ ધમકી આપી સમાધાન કરવા દબાણ કરી રહ્યા છે.

Most Popular

To Top