SURAT

માત્ર એક મોબાઇલ ફોન ગીફ્ટમાં આપી મુસ્લિમ યુવકે વરાછાની સગીર હિન્દુ યુવતીને ફસાવી

સુરત (Surat) : વરાછામાં (Varacha) રહેતા વિધર્મી યુવકે પાડોશી હિન્દુ (Hindu) સગીરાને પોતાની પ્રેમજાળમાં (Love Trap) ફસાવી 6 દિવસ પહેલા જ ભાડે લીધેલી રૂમમાં લઇ જઇને બળાત્કાર (Rape) કર્યો હતો. વહેલી સવારે યુવક પરત આવ્યો હતો અને સગીરા ઘરે નહીં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે વિધર્મી યુવક સામે એટ્રોસિટી (Atrocity) એક્ટ અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી.

  • વરાછાની અર્ચના સ્કૂલ વિસ્તારની ઘટના
  • ઈસરાજ નામના ટેલરે નજીકમાં રહેતી સગીરાને ફસાવી
  • શારિરીક સબંધ બાંધવા માટે રૂમ પણ ભાડેથી રાખી લીધી
  • સગીરાને ભગાવી લઈ જઈ બળાત્કાર કર્યો
  • પરિવારની ફરિયાદને પગલે પોલીસે ઈસરાજને પકડ્યો

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા અર્ચના સ્કૂલ વિસ્તારમાં રહેતા ઇસરાજ ઉર્ફે કરણ મોહંમદ જલીલ ખાન છ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે અને ટેલરીંગનું કામ કરે છે. ઇસરાજ છેલ્લા છ વર્ષથી ભાડે રહેતો હતો અને તેના કારણે તેની કાજલની સાથે સારી ઓળખાણ પણ થઇ હતી, જેનો લાભ લઇને 10 દિવસ પહેલા ઇસરાજે સગીરાને એક સાદો મોબાઇલ લઇ આપ્યો હતો. સગીરા આ મોબાઇલ સાઇલેન્ટમાં રાખતી હતી અને ઇસરાજ સાથે વાતો કરતી હતી. માત્ર એક મોબાઇલ આપીને તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.

બીજી તરફ તેણે 6 દિવસ પહેલા પૂણા સીતાનગર સોસાયટીમાં એક રૂમ ભાડેથી રાખી હતી અને કાજલને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો છું અને આપણે બંને અલગથી રહેવા ચાલ્યા જઇશું. ત્યાર બાદ બે દિવસ પહેલા બંને ભાગી ગયા હતા. રાત્રીના સમયે સગીરા ઘરે આવી ન હતી અને ઇસરાજ પણ ઘરે ન હતો. જેને લઇને કાજલના પરિવારે તેની શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળી આવી ન હતી. બીજા દિવસે સવારે એટલે કે સોમવારે સવારના સમયે ઇસરાજ તેના ઘર પાસે જોવા મળતા કાજલના પરિવારને શંકા ગઇ હતી.

તેઓએ વરાછા પોલીસ મથકે જઇને કાજલના ગુમ થવા અંગેની ફરિયાદ આપીને ઇસરાજની ઉપર શંકા હોય તેને કાજલનું અપહરણ કર્યાનું પોલીસને કહ્યું હતું. વરાછા પોલીસે તાત્કાલિક અસરથી ઇસરાજને પોલીસ મથકે બોલાવીને તેની પુછપરછ કરતા તેણે ગુનો કબૂલી લેતા પોલીસે સગીરાને છોડાવી લઇને તેના પરિવારને સોંપી હતી. બનાવ અંગે પોલીસે ઇસરાજની સામે એટ્રોસિટી એક્ટ તેમજ બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top