SURAT

સુરતીઓએ કાળી ચૌદશના દિવસે ચાર રસ્તા પર મુકેલા અડદના વડાનું મનપાએ આ કર્યું..

સુરત: (Surat) કાળી ચૌદશના (Kali Chaudas) દિવસે લોકમાન્યતા મુજબ લોકો ઘરનો કકળાટ કાઢવા માટે અડદના વડા (Vada) બનાવી ચાર રસ્તા પર ઉતારો મુકતા હોય છે. જો કે આ ધાર્મિક પરંપરાના કારણે અનાજનો બગાડ થવા ઉપરાંત રાંધેલા વડા રસ્તા પર રઝળતા હોવાથી ગંદકી પણ થાય છે તેથી, છેલ્લા થોડા વરસોથી કકળાટના વડાનો સદઉપયોગ થાય તે માટે સુરત મનપા (Corporation) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજીક સંસ્થા સાથે મળીને રસ્તા પર મુકાયેલા વડા એકઠા કરવામાં આવ્યા હતા. કતારગામ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા સામાજીક સંસ્થા સાથે મળીને સમગ્ર કતારગામ વિસ્તારમાં જ્યાં જ્યા વડાઓ મુકાયા હતા ત્યાંથી કલેક્ટ કરીને ડ્રમમાં ભરવામાં આવ્યા હતા અને મનપા દ્વારા ગાડી આપવામાં આવી હતી અને આ વડા ગૌશાળામાં લઈ જઈ ગાયને ખવડાવવામાં આવ્યા હતા.

40,000 જેટલાં ઇલેક્ટ્રિક વ્હીકલ આગામી 4 વર્ષમાં સુરત શહેરની પરિવહન વ્યવસ્થામાં સામેલ થશે

સુરત: દુબઈ વર્લ્ડ એક્સ્પો-2020માં તા.31-10થી તા.06-11 દરમિયાન અર્બન રૂરલ ડેવલપમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈલેક્ટ્રિક મોબિલિટી મૂવિંગ ટુ વર્ડ સસ્ટેનેબલ ફ્યુચરના વિષય પર તા.3-11 એ મહત્ત્વની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનપા કમિશનરે ઓનલાઈન આ ઈવેન્ટમાં ભાગ લઈ દેશભરમાં સૌ પ્રથમ સુરતમાં લાગુ કરાયેલી ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) પોલિસી વિશે માહિતી આપી હતી.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંકમાંથી 20% એટલે કે 40,000 જેટલાં ઇલેક્ટ્રિક વ્હીકલ આગામી 4 વર્ષમાં સુરત શહેરની પરિવહન વ્યવસ્થામાં સામેલ થશે. એ માટે મનપા દ્વારા 500 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, વ્હીકલ ટેક્સમાં માફી, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાં રાહત, ફ્રી પાર્કીંગ સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે તેમ તેઓએ વિગતો આપી હતી. આ ઈવેન્ટમાં મનપા કમિશનરે સવાલો પણ કરાયા હતા. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત હાલમાં કાર્યરત 800 જેટલી સિટી બસ, બીઆરટીએસ બસમાંથી આગામી વર્ષના અંત સુધીમાં કુલ 500 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન પણ કરાયું છે.

શહેરમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે નાગરિકોને ફર્સ્ટ માઈલ તેમજ લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડી શકાશે. અને જે મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા સાકારિત થઇ શકે છે. મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં મેટ્રો રેલ, બીઆરટીએસ, સિટી બસ, ઓટો વગેરે મહત્ત્વનું યોગદાન આપી શકે છે અને આ સુવિધા પણ નાગરિકોને પોષાય એ મુજબની હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top