Dakshin Gujarat

વિરહની વેદના: પ્રેમીપંખીડાએ ડુંગરી ખાતે મોતને વ્હાલું કરી દુનિયાને અલવિદા કીઘુ, સમગ્ર પંથકમાં ચકચાર

અનાવલ: મહુવાના (Mahuva) કરચેલીયાની સગીરા તેમજ વીસ વર્ષીય યુવાને પ્રેમસંબંધમાં (Affair) એકબીજાને મળી નહીં શકાતાં ડુંગરી ગામે ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવી (Suiside) દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કરચેલીયા બંદુકિયા ફળિયા ખાતે રહેતા સંજય ધીરુ હળપતિ (ઉં.વ.૨૦)ને ગામની જ સગીરા જોડે પ્રેમસંબંધ હતો. છેલ્લા એકાદ વર્ષથી તેમને પ્રેમસંબંધ ચાલતો હતો. એ દરમિયાન સગીરાને અન્ય ગામમાં છાત્રાલયમાં ભણવા (Study) મૂકી દીધી હતી. ત્યારે આ બંને એકબીજાને મળી શકાતું નહીં હોય તેમણે જીવન ટુંકાવવાનો નિર્ણય કરી લીધો હોવાથી સગીરા છાત્રાલયમાંથી નીકળી આવી હતી. જે જાણ થતાં જ પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી.

  • બનાવ બનતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ
  • પ્રેમીપંખીડાએ આંબાવાડીમાં સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ દુનિયાને અલવિદા કરી દીધું

આ પ્રેમીપંખીડાઓએ તાલુકાના ડુંગરીના નહેર ફળિયા ખાતે આવેલી આંબાવાડીમાં સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ દુનિયાને અલવિદા કરી દીધું હતું. આ બનાવ બનતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તો આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતકની લાશનું પોસ્ટ મોર્ટમ નળધરા આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું.

ઘરેથી બાઇક લેવા નીકળેલા સણિયાના યુવાનની લાશ મળી
કામરેજ : સણિયા પાસે આવેલી ઓમ રેસિડેન્સી નો યુવાન ત્રણ દિવસ અગાઉ મોટરસાઈકલ લઈને હું આવુ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ તેની લાશ આજ ખોલવડના તાપી કિનારેથી મળી આવી હતી. મૂળ જામનગરના જામજોધપુર તાલુકાના પરડવા ગામના વતની અને હાલ સણિયા ગામે ઓમ રેસિડેન્સીમાં રહેતા વિપુલ ગોરધનભાઇ ખાંટનો 32 વર્ષીય પુત્ર શેષાંત ગઇ તારીખ 2 જુલાઇના રોજ મોટરસાઇકલ લઇને આવુ છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. તે પરત નહીં આવતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી તેમ છતાં તે મળી નહીં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન રવિવારે તેની લાશ કામરેજના ખોલવડ નજીક તાપી કિનારેથી મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top