SURAT

સુરતમાં નિવૃત્ત સૈનિકની પત્નીનું અગ્નિસ્નાન, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

સુરત(Surat): શહેરમાં આપઘાતના (Sucide) કિસ્સા ચિંતાજનક હદે વધ્યા છે. આજે વધુ એક આઘાતજનક શહેરના ગોડાદરા વિસ્તારમાં બની છે. અહીં નિવૃત્ત સૈનિકની (Exe Army Man) પત્નીએ (Wife) આપઘાત કર્યો હોવાની અરેરાટીપૂર્ણ ઘટના બની છે.

  • સુરતના ગોડાદરા વિસ્તારની અરેરાટીપૂર્ણ ઘટના
  • એક્સ આર્મીમેનની પત્નીએ આપઘાત કર્યો
  • બાથરૂમમાં જઈ જ્વલનશીલ પદાર્થ શરીરે છાંટી આગ ચાંપી
  • આગના લીધે આખુંય શરીર ભડથું થયું
  • બાથરૂમનો દરવાજો પણ સળગી ગયો
  • ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી

નિવૃત્ત સૈનિકની પત્નીએ પોતાના જ ઘરના ચોથા માળે બાથરૂમમાં જઈ જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર પર છાંટી આગ ચાંપી દઈ જીવન ટૂંકાવી લીધું છે. મહિલાનો મૃતદેહ બળી ગયેલી હાલતમાં બાથરૂમમાંથી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોડાદરા વિસ્તારની સમ્રાટ સોસાયટીમાં નિવૃત્ત આર્મી મેન ભાગવત કદમ પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં 41 વર્ષીય પત્ની શુભાંગી અને બે બાળકો છે. મૂળ મહારાષ્ટ્રના અમલનેર તાલુકાના સાવખેડા ગામના વતની ભાગવત કદમના પત્ની શુભાંગીએ આજે શનિવારે તા. 9 ડિસેમ્બરની સવારે પોતાના ઘરના ચોથા માળના બાથરૂમમાં આપઘાત કરી લીધો હતો.

શુભાંગી કદમે બાથરૂમમાં જઈ જ્વલનશીલ પ્રવાહી પોતાના શરીર પર છાંટી આગ ચાંપી લીધી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. શુભાંગીનો મૃતદેહ બાથરૂમમાં બળી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આગના લીધે શુભાંગીના શરીરની સાથે બાથરૂમનો પ્લાસ્ટિકનો દરવાજો પણ સળગી ગયો હતો. આખુંય શરીર બળીને ભડથું થી જવાના લીધે શુભાંગીએ બાથરૂમમાં જ દમ તોડ્યો હતો.

ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા ઘટનાની જાણ ગોડાદરા પોલીસને કરવામાં આવી હતી. મૃતક મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top