Gujarat

રાજ્યમાં 35 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ સાજા થયા છે, આમ સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,091 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 160 એક્ટિવ કેસ છે. તેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 155 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,079 દર્દીઓનાં મૃત્યું નોંધાયા છે.

આ ઉપરાંત રાજ્યમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,63,036 વ્યકિતઓને રસી આપવામાં આવી આજે 15 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 5,085ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 78,957ને પ્રથમ અને 67,802ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,42,081 અને બીજો ડોઝ 69,096ને અપાયો હતો. આમ કુલ 4,63,036 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top