Gujarat

અમરેલીના રાજુલાના ધારેશ્વરી ગામમાં સિંહનો હૂમલો, ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો

અમરેલીના રાજુલા તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ધારેશ્વર ગામમાં ગઈકાલે અડધી રાત્રે બે સિંહ ઘેંટાની વાડમાં ઘૂસી આવ્યા હતા અને એકસાથે 50 જેટલાં ઘેંટાનો શિકાર કર્યો હતો. સિંહે એકાએક હૂમલો કરતા કેટલાંક ઘેંટા તો ડરના માર્યા જ મરી ગયા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં ઘેંટા મરી જતા માલધારી ચોંધાર આંસુએ રડી પડ્યો હતો.

ધારેશ્વર ગામના માલધારીના વાડામાં 80 ઘેંટા હતા. રોજની જેમ માલધારી વાડમાં તાળું મારીને ઘરે જતો રહ્યો હતો. પરંતુ અહીં અડધી રાત્રે વાડમાં એક સિંહ ઘૂસી આવ્યો હતો. સિંહને જોઈ ઘેંટાના ટોળાંએ દેકારો મચાવ્યો હતો, પરંતુ વિકરાળ સિંહ સામે કાંઈ ચાલ્યું નહોતું. જોતજોતામાં સિંહ 50 ઘેંટાનો શિકાર કરી જતા રહ્યા હતા. સિંહની ઝપટે આવેલા 15 ઘેંટા ઘાયલ થયા હતા. કેટલાંક ઘેંટા તો સિંહને જોઈ ડરના માર્યા જ ફફડીને મરી ગયા હતા. સિંહે ધારેશ્વર ગામના ભોળા કુકડની જોકમાં હૂમલો કર્યો હતો.

આ જોકમાં 80 ઘેંટા રાખવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે માલધારી ભોળા કૂકડ બાજુના એક મકાનમાં સૂતા હતા. માલિકે સિંહને ત્યાંથી ભગાડવાનો હિંમતભેર પ્રયાસ કર્યો હતો. ચારેય બાજું એક વાળ ઘેટા માટે બનાવેલી હતી. જેની અંદર સિંહ રાત્રીના સમયે ઘુસી જતા એકાએક અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગામના લોકો વન વિભાગ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ રાજુલા રેન્જ ઈન્ચાર્જ સહિત મુખ્ય વન વિભાગની ટીમને થતા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને પંચનામું સહિતની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત મૃતક ઘેટા બદલ અપાતી સરકારી મદદ માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઘેટા માલધારી પરિવારને દૂધ અને ઊન આપતા હતા. એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિકાર થતા માલધારીને આર્થિક રીતે ખોટ ખાવાનો વારો આવ્યો છે. એના પરિવારની ચિંતા એકાએક વધી ગઈ છે. આ વાવડ પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીને મળતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હીરા સોલંકીએ માલધારી પરિવારને ઘટનાસ્થળે જ રૂ.51000 રોકડ આપી દિલાસો આપ્યો હતો. આ મામલે તેમણે નવા વનમંત્રી કિરિટસિંહ રાણાને ટેલિફોનિક રજૂઆત કરી હતી. ઝડપથી વળતર મળી રહે એ માટે માગ કરી હતી. પશુ માલિકે પણ કહ્યું કે, માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top