Dakshin Gujarat

વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ એક દિવસ લંબાવાયું

વલસાડ: વલસાડથી (Valsad) વડનગર (Vadnagar) એક્સપ્રેસ ટ્રેનનું (Express Train) આજે લોકર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોએ વલસાડથી વડનગર સુધીની ટ્રેનની ડિમાન્ડ કરી હતી. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી હતી. વલસાડથી વડનગર ઇન્ટર સીટી ટ્રેન (Inter City) 2જી નવેમ્બર 2022થી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મોરબી દુર્ઘટનાના પગલે રાજ્યમાં 2 નવેમ્બરે રાજવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેનનું લોકાર્પણ કાર્યક્રમ પણ એક દિવસ લંબાવવામાં આવ્યો છે.

વલસાડ, વાપી સહિત સમગ્ર જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં કેટલાય વર્ષોથી ધંધા-રોજગાર અને નોકરી (Job) અર્થે સ્થાયી થયેલા ઉત્તર ગુજરાત તરફના લોકોની વર્ષો જૂની માંગને રેલવે વિભાગ પૂર્ણ કરવા માટે ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જેમાં વલસાડથી વડનગર સુધી સુપરફાસ્ટ ઈન્ટરસિટી (Intercity) નિયમિત રૂપે દોડશે. ગુજરાત ક્વિન ટ્રેન બાદ આ એક વધુ સુવિધા ઉત્તર ગુજરાતના લોકોને મળતાં આનંદનો પાર નથી.

4થી નવેમ્બરથી ટ્રેન વલસાડથી ઉપડશે
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની માતૃભૂમિ વલસાડ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતૃભૂમિ વડનગરને જોડતી રેલ સેવા કાર્યાંવત કરાઈ રહી છે. તમને જણાવી દઈએ કે સુરત રેલવે સ્ટેશન ખાતેથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ટ્રેનને લીલી ઝંડી આપી લોકાર્પણ કરશે. ત્યારબાદ 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડથી સમયસર ઉપડશે તેમ રેલવે વિભાગે જણાવ્યું હતું.

ઉત્તર ગુજરાતના લોકોની વર્ષો જૂની પડતર માંગનો સંતોષકારક રીતે ઉકેલ લવાતા સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં વસતા લોકોના ચહેરા પર આનંદની લાલીમા છવાઈ ગઈ છે. આ ટ્રેન આવતી અને જતી વખતે નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા થોભશે. જેમાં બેઠક વ્યવસ્થા એસી ચેરકાર, ચેરકાર, અને બીજાવર્ગની શ્રેણીના સામાન્ય કોચ ઉપલબ્ધ રહેશે.

આ ટ્રેન 4 નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી પ્રસ્થાન કરશે અને સાંજે 4:45 કલાકે વડનગર પહોંચશે. ત્યાંથી આ ટ્રેન પરત સાંજે 5:20 કલાકે ઉપડશે અને રાત્રે 12:55 કલાકે વલસાડ આવી પહોંચશે. જોકે, જેમાં રોજ પ્રાત: 5:45 કલાકે વલસાડથી ઉપડી આ ટ્રેન બપોરે 12:45 કલાકે વડનગર પહોંચશે. સાંજે 4:45 કલાકે વડનગરથી ઉપડી રાત્રે 12:35 કલાકે વલસાડ પરત આવી પહોંચશે.

Most Popular

To Top