Dakshin Gujarat

ઝઘડિયા: આડા સંબંધનો વહેમ રાખી કહેવાતા પતિએ જ પત્નીનું મર્ડર કર્યું હોવાનું બહાર આવ્યું

ઝઘડિયા: (Jhagadia) મુલદ ગામે મજૂરી કરવા આવેલા કહેવાતા પતિએ (Husband) પોતાની પત્નીને (Wife) અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાનો વહેમને લઈને પતિએ જ ગળે ટુપો દઈને મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પહેલા આ મામલે પત્નીએ જાતે જીવ દઈ દીધો હોવાની વાત સામે આવી હતી પરંતુ અંતે પતિએ જ હત્યા (Murder) કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

  • મુલદ ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો
  • પરપુરુષ સાથે આડા સંબંધનો વહેમ રાખી પતિએ જ ગળે ટૂંપો દઈ મારી નાંખી હોવાની ભાઈની ફરિયાદ
  • પ્રેમીયુગલ આઠ મહિના પહેલાં ઘરેથી ભાગ્યું હતું અને પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં

ડેડીયાપાડા તાલુકાના જામની ગામના ગણેશભાઈ અમરસિંહભાઈ વસાવાની સગી બહેન આનંદી આઠ મહિના પહેલા ખામપાડા ગામના દિલીપ શિવરામભાઈ વસાવા સાથે પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. એ વખતે દિલીપ અને આનંદી પતિ-પત્નીની જેમ રહીને સુખદુઃખના ભાગીદાર બનતા હતા. કેટલાક સમયથી આ દંપતી ઝઘડિયા તાલુકાના મુલદ ગામે બ્લોક બનાવવાના કારખાના પર મજૂરી કામ અર્થે આવ્યા હતા. જો કે ગયા મહીને અચાનક આનંદી પોતાના પિયર જામની ગામે એકલી અટૂલી જતી રહી હતી અને તેણે માતાને જણાવ્યું કે મારો પતિ દિલીપ મારા ઉપર ખોટી રીતે આડા સંબંધનો વહેમ રાખીને ઝઘડો કરે છે. જેનાથી નારાજ થઈને અહીં આવી છું. જો કે બે દિવસ રોકાયા બાદ તે પોતાની મરજીથી ફરીવાર પતિ દિલીપ વસાવા સાથે મુલદ ખાતે મજૂરી કામે જતી રહી હતી.

તા. ૨જી જુનના રોજ દિલીપની માતાએ આનંદીની માતાને ફોન કરીને દુઃખદ સમાચાર એવા આપ્યા હતા કે તમારી દીકરી આનંદીએ ઝાડ ઉપર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લેતાં દવાખાને લઇ ગયા બાદ તેણીનું મોત થયું છે. આ વાત સાંભળી માતા ખાનગી ગાડીમાં ઝઘડિયા ખાતે દોડી ગઈ હતી. બીજા દિવસે ઝઘડિયાના સરકારી દવાખાનામાં આનંદીનો મૃતદેહ જોતા તેના ગળે દોરીનો ટુંપો આપ્યો હોય એમ આખા ગળે ફરતે નિશાન દેખાતા હતા. સમગ્ર ઘટના અંગે આનંદીના મૃતદેહનું PM કરાયું હતું. મોતને ભેટેલી આનંદીના ભાઈએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ એવો કર્યો હતો કે મારી બહેન આનંદીને ગળે ટુંપો દઈને મારી નાખવામાં આવી છે. ભારે વિવાદ ઉભા થતાં આખરે આનંદીનો મૃતદેહ તેના ભાઈને સોંપતા તેના ગામ લઇ જઈને અંતિમવિધિ કરી હતી.

બહેનનાં મોત બાદ તેના ભાઈ ગણેશ અમરસિંગ વસાવાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બહેન આનંદીને આઠ મહિના પહેલા દિલીપ શિવરામ વસાવા સાથે પતિ અને પત્ની તરીકે ભાગી ગયા હતા અને એજ તેનો પતિ દિલીપ વસાવાએ મારી બહેન આનંદી પર આડા સંબંધનો વહેમ રાખીને ગળે ટુંપો દઈ દીધો છે. જે બાબતે ઝાઘડીયા પોલીસને ફરિયાદ આપતા પતિ દિલીપ શિવરામભાઈ વસાવા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top