SURAT

સુરતમાં 10 વર્ષના બાળક પર ચાર જણા હથિયાર લઈ તૂટી પડ્યાં, બેરહેમીથી 14 ઘા માર્યા

સુરત: પાંડેસરામાં એક 10 વર્ષના બાળ કિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તબીબોના હૃદય પણ ધ્રુજી ગયા હોય એમ કહી શકાય છે. હાલ બાળકની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં બાળ કિશોરનું નામ આદિત્ય કુલદીપ શર્મા અને પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે આવેલા જય અંબેનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પિતા કુલદીપ શર્મા વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

પિતા કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે રાત્રે આદિત્ય કચરો ફેંકવા માટે ખાડી પાસે ગયો હતો. ત્યાં જ તેને પેટ, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં 14 ઘા મારવામાં આવ્યા હતા. હુમલાખોર 16 થી 17 વર્ષના પવન નામના છોકરાએ ઘા માર્યો હોવાનું સામે આવ્યું છે. પવન સાથે કોઈ યુવતીને આદિત્ય જોઈ ગયો હતો. જેથી ભાંડો ફૂટવાના ડરે યુવતીના કહેવાથી પવને આદિત્યને જાનથી મારી નાંખવાની કોશિશ કરી છે. તેઓ ફેબ્રિકેશનનું કામ કરે છે. બનાવને લઈને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top