Gujarat

કોરોનામાં સરકારી યોજનાનો કેટલા અનાથ બાળકોને લાભ થયો તેના આંકડા સરકાર છૂપાવે છે: કોંગ્રેસ

અમદાવાદ: ભાજપ (BJP) સરકાર પ્રસિદ્ધિ મેળવવા માટે સાચા આંકડાઓ રજુ કરતી નથી. લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓમાં વિરોધાભાસ જોવા મળે છે. આ વિરોધાભાસ અને વિસંગતતાઓ જ બતાવે છે કે, સરકાર આંકડાઓ છુપાવી રહી છે, તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના જવાબમાં જે આંકડાઓ રજૂ કર્યા છે તે આંકડાઓમાં ગોલમાલ હોવાનું બહાર આવ્યું છે. કોરોનાકાળમાં પીએમ કેરમાં કોને કેટલું ફંડ આપવામાં આવ્યું, આ લાભાર્થીઓના આંકડા છુપાવવામાં આવ્યા હોય તેવું લોકસભા અને રાજ્યસભાના રજૂ કરાયેલા આંકડાઓમાં વિસંગતતા પરથી જોઈ શકાય છે.

કોરોનામાં પીએમ કેરમાં કોને ફંડ આપ્યાં એ ભલેના દર્શાવો પણ સરકારી સ્કીમ દ્વારા લાભાર્થીઓ આંકડા કેમ સંતાડવામાં આવી રહ્યામ છે? તા ૧૦/૩/૨૦૨૩ના રોજ લોકસભાના સાંસદએ સવાલ પૂછ્યો કે સરકારની પીએમ કેર સ્કીમ હેઠળ કેટલા બાળકો જે કોરોનાના લીધે અનાથ થયા હોય, પોતાના માતા-પિતા બન્ને ગુમાવ્યા હોય તેમને આર્થિક મદદ કરવામાં આવી હતી? આ પ્રશ્નના જવાબની શરૂઆતમાં સરકારનો આંકડો હતો કે, દેશમાં ૪૩૪૫ બાળકોને આ યોજના હેઠળ ફાયદો મળ્યો છે. પણ એજ જવાબમાં જ્યારે રાજ્યવાર આંકડો જે દર્શાવ્યો તેમાં દર્શાવ્યું કે ૩૯૬૨ બાળકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જે દર્શાવે છે કે, બન્ને આંકડામાં ૩૮૩ બાળકોનો તફાવત છે.

રાજ્યસભાના સાંસદના સવાલના જવાબમાં પણ આંકડામાં વિસંગતતા જોવા મળે છે, રાજ્યસભામાં ૩૮૫૫નો આંકડો દર્શાવવામાં આવે છે તે પણ લોકસભા કરતા અલગ દેખાડવામાં આવે છે. લોકસભાના જવાબમાં ગુજરાત રાજ્યમાં કોરોનામાં માતા પિતા ગુમાવનારા બાળકો જેમને પીએમ કેર બાળકો માટેની યોજનામાં ૨૦૫ બાળકો દર્શાવ્યા છે. જ્યારે રાજ્ય સભા તા ૨/૨/૨૦૨૨ ૨૦૮ બાળકો દર્શાવ્યા છે. પણ ચોંકાવનારી બાબત એ છે કેન્દ્રના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા તા. ૨/૩/૨૦૨૨ના રોજ લોકસભા અને રાજ્યસભા કરતા પણ વિપરીત છે. મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અખબારી યાદીમાં દર્શાવેલ આંકડો ૧૨૧૦ બાળકોનો છે. લોકસભા, રાજ્યસભા અને મહિલા અને બાલ વિકાસ મંત્રાલયના આંકડામાંથી કોના આંકડા સાચા માનવા એ સવાલ થાય છે? મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અને દેશની બન્ને સર્વોચ્ય પંચાયતમાં ૧૦૦૦ થી વધુ બાળકોના આંકડાનો ફેર આવે છે. શું આ બાળકોને યોજનાના લાભથી વંચિત રાખવા આવી રહ્યા છે? શું ૧૦૦૦ થી વધુ બાળકોનું અનાથ થવાનું કારણ કોરોનાની મહામારી સિવાય કાંઈ અલગ છે ? તો સરકાર જાણકારી આપે. કેમ ગુજરાત અને દેશના બાળકો જોડે આ અન્યાય કરવામાં આવી રહ્યો છે? તેવા પ્રશ્નો ઉઠાવાયા છે.

Most Popular

To Top