Gujarat

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી જોઈએ, હું દારૂબંધીના નાટકનો વિરોધી છું: શંકરસિંહ

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ વર્ષના ડિસેમ્બરમાં (December) વિધાનસભાની ચૂંટણી (Election) માટે મતદાન યોજાવવાનું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હવે કોંગ્રેસમાં (Congress) જોડાવવાના સંકેત આપ્યા છે. ગાંધીનગરમાં વાઘેલાના નિવાસ્થાને આજે તેમના સમર્થકોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેત આપ્યા છે.
વાઘેલાએ કહ્યું હતું કે કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ સાથે મારે ચર્ચા ચાલી રહી છે. અગાઉ મેં પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી. જો કે, અહેમદ પટેલના નિધન બાદ તેનું લોન્ચિંગ થયું નહતું. ગુજરાતમાં દારૂની હેરાફેરી પર સરકારનો કોઈ કંન્ટ્રોલ નથી, જેના કારણે હપ્તાખોરી થાય છે. આ કારણોસર ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી જોઈએ. દારૂબંધી હટાવવી એ વિધાનસભાના હાથમાં છે, જો કે હું દારૂબંધીના નાટકનો વિરોધી છું.

Most Popular

To Top