Sports

FIFAએ ભારતને આપ્યો મોટો ઝટકો,ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને (AIFF) સોમવાર 15 ઓગસ્ટની રાત્રે મોટો ઝટકો લાગ્યો હતો. ફૂટબોલની (Football) આંતરરાષ્ટ્રીય સંસ્થા FIFA એ સોમવારે રાત્રે AIFF ને બિનજરૂરી ત્રીજા પક્ષના હસ્તક્ષેપને ટાંકીને સસ્પેન્ડ (Suspended) કરી દીધું હતું. આ સાથે, FIFAએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાનાર FIFA U-17 મહિલા વર્લ્ડ કપ પણ હવે યોજાશે નહીં. ફિફાએ કહ્યું છે કે સસ્પેન્શન તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

FIFAએ પ્રેસ રિલીઝમાં જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે FIFA કાઉન્સિલના બ્યુરોએ તૃતીય પક્ષની દખલગીરીને કારણે ફૂટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ ફીફાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે  સુપ્રીમ કોર્ટે AIFF માં અનિયમિતતાઓ જોતા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ FIFA એ આ કડક પગલું ભર્યું છે. 

આ સસ્પેન્શન હટાવવા પર વધુ જણાવવામાં આવ્યું છે કે, “સસ્પેન્શન ત્યારે જ દૂર કરવામાં આવશે જ્યારે AIFF એક્ઝિક્યુટિવ કમિટી અને AIFF એડમિનિસ્ટ્રેશનને રોજબરોજના કામકાજ પર સંપૂર્ણ નિયંત્રણ લેવા માટે સત્તાઓ ગ્રહણ કરવા માટે પ્રશાસકોની સમિતિની રચના કરવાના આદેશ પછી સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવશે. ફિફાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સસ્પેન્શનનો અર્થ એ છે કે ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022 પણ યોજાશે નહીં. જો કે, FIFA એ કહ્યું કે તે ટુર્નામેન્ટને લગતા આગળના પગલાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂર પડશે તો આ બાબતને બ્યુરોને મોકલવામાં આવશે.

FIFAએ કહ્યું કે તે ભારતના રમતગમત મંત્રાલયના સતત સંપર્કમાં છે અને આશા છે કે આ કેસમાં સકારાત્મક પરિણામ આવશે. આ મહિનાની શરૂઆતમાં, FIFA એ ત્રીજા-પક્ષની દખલગીરી માટે AIFFને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. AIFFની ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશના થોડા દિવસો બાદ આ ચેતવણી આપવામાં આવી છે. AIFFની ચૂંટણી 28 ઓગસ્ટે યોજાવાની છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 17 ઓગસ્ટે સુનાવણી છે.

સસ્પેન્શનનું મુખ્ય કારણ શું છે?
સુપ્રીમ કોર્ટે મે મહિનામાં રમતને સંચાલિત કરવા અને 18 મહિના માટે પેન્ડિંગ ચૂંટણીઓ યોજવા માટે ફેડરેશનના બંધારણમાં સુધારો કરવા માટે AIFF માટે ત્રણ સભ્યોની સમિતિ (કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ, CoA) ની નિમણૂક કરી હતી. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એ.આર. દવેને સોંપવામાં આવ્યો હતો. 18 મેના રોજ કોર્ટે એઆઈએફએફના પ્રમુખ પ્રફુલ પટેલને પણ આ જ કારણસર તેમના પદ પરથી હટાવી દીધા હતા. ફિફા અને એએફસીએ તેમની પોતાની એક ટીમ પણ મોકલી હતી, જે ભારતીય ફૂટબોલના હિસ્સેદારોને મળવા માટે બ્લુપ્રિન્ટ પર કામ કરી રહી હતી અને જુલાઈના અંત સુધીમાં અને સપ્ટેમ્બર 15 સુધીમાં ચૂંટણી પૂર્ણ કરવા માટે AIFF માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી હતી. આ કારણોસર, FIFA એ AIFF ને પણ ધમકી આપી હતી અને આખરે હવે તૃતીય પક્ષની દખલગીરીનો આરોપ લગાવીને તેને સ્થગિત કરી દીધી છે.

Most Popular

To Top