National

156 મુસાફરો સાથે દુબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

તિરુવનંતપુરમ: દુબઈથી તિરૂવનંતપુરમ આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, વિમાનમાં સવાર 156 મુસાફરો સુરક્ષિત છે.

તમને જણાવી દઈએ કે દુબઈથી તિરુવનંતપુરમ આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX540) નોઝ વ્હીલમાં ટેક્નિકલ ખામી સર્જાતા રવિવારે સવારે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં સવાર તમામ 156 મુસાફરો સુરક્ષિત છે. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી. આ પછી એર ઈન્ડિયાના વિમાને સવારે 5.40 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ‘ઇમરજન્સી’ જાહેર કરવાને કારણે એરપોર્ટ પર તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ માટે રનવે સાફ કરવામાં આવ્યો હતો અને વિમાન એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ ઘટનાને કારણે કોઈ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી ન હતી. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરશે તેમ જણાવ્યું હતું.

નવી દિલ્હી: લખનઉથી (Lucknow) કલકત્તા (Calcutta) જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટને પક્ષી (Bird) અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવું પડ્યું હતું. આ દુર્ઘટના ફ્લાઈટના ટેક-ઓફ (Take Off) દરમિયાન થઈ હતી. જાણકારી મુજબ પક્ષીની ટક્કરથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી જો કે તે ટળી હતી. હાલ મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

  • મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
  • 15 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી ઘટનામાં અકાસા એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફ કર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું
  • 6 ઓક્ટોબરે કલકત્તામાં તુર્કીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

આવી જ એક ઘટના 15 ઓક્ટોબર 2022ના રોજ બની હતી, જ્યારે અકાસા એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફ કર્યા બાદ મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. તે સમયે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હચું. કેબિનમાં કોઈક વસ્તુની સળગવાની દુર્ગંધ આવતા ફ્લાઈટને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જ્યારે અકાસા એરલાઇન્સના બોઇંગ VT-YAE એરક્રાફ્ટે ઉડાન ભરી ત્યારે તેનું એન્જિન સામાન્ય રીતે કામ કરી રહ્યું હતું, પરંતુ કેબિનમાંથી અચાનક સળગતી ગંધ આવવા લાગી હતી. આકાસા એરલાઈન્સની ફ્લાઈટ મુંબઈથી બેંગ્લોર જઈ રહી હતી. સળગી જવાની દુર્ગંધ આવતા ફ્લાઈટને મુંબઈ પાછી ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હતું. એન્જીનમાં પક્ષીના અવશેષો મળી આવ્યા હતા.

Most Popular

To Top