World

ભૂકંપથી હચમચી ઉઠ્યું ઈન્ડોનેશિયા, ઈમારતો ધરાશાયી થતા 162ના મોત

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાની (Indonesia) રાજધાની જકાર્તામાં સોમવારે ભૂકંપના (earthquake) આંચકામાં મોટી ઈમારતો ધરાશાયી (Buildings collapsed) થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 162 લોકોના મોત (Death) થયા છે. તેમજ સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયા છે. ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે બચાવકર્મીઓ મંગળવારે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. હજી પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે તેથી કહી શકાય કે મૃત્યુઆંક વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું.

સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘર છોડીને રસ્તાઓ પર દોડી આવી હતા. ભૂકંપના કારણે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સિયાનજુરમાં હોસ્પિટલોના પાર્કિંગમાં ઘાયલ લોકોની સારવાર આખી રાત ચાલી હતી. કેટલાકને કામચલાઉ ટેન્ટમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારે કેટલાક લોકોને ફૂટપાટ પર પણ ટ્રીટમેન્ટ આપવી પડી હતી. જ્યારે આરોગ્ય કર્મચારીઓએ ટોર્ચના પ્રકાશમાં દર્દીઓને ટાંકા આપ્યા હતા.

ભીડવાળી હોસ્પિટલ પાર્કિંગ એરિયામાં સારવાર લઈ રહેલા 48 વર્ષીય કુકુએ જણાવ્યું હતું કે અચાનક જ એક આંચકામાં ઈમારત તૂટી પડી હતી અને બધું ધરાશાયી થઈ ગયું હતું. હું કચડાઈ ગયો. મારા બે બાળકો બચી ગયા, મેં કોઈક રીતે બંનેને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ આવ્યા.

રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા ડેડી પ્રસેત્યોએ જણાવ્યું કે સેંકડો પોલીસ અધિકારીઓ મંગળવારે સવારે બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા હતા. પીડિતોને કાટમાળમાંથી બહાર કાઢવાનું છે. પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું હતું કે સોમવારના ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકો માર્યા ગયા હતા, જેમાંથી ઘણા બાળકો હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલ અને મૃત્યુની સંખ્યા વધી શકે છે.

BNPBએ કહ્યું કે તેણે 62 મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ વધારાના 100 પીડિતોની પુષ્ટિ કરી શકી નથી. મંગળવારે અધિકારીઓ કુગેનાંગ વિસ્તારમાં પહોંચવાનું કામ કરી રહ્યા હતા. અહીં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

BNPBએ જણાવ્યું હતું કે ભૂકંપ રાજધાની જકાર્તામાં લગભગ 75 કિમી (45 માઇલ) દૂર અનુભવાયો હતો. ઓછામાં ઓછા 2,200 ઘરોને નુકસાન થયું હતું અને 5,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. 2004 માં, ઉત્તર ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે 14 દેશોને અસર કરી હતી. હિંદ મહાસાગરના કિનારે 226,000 લોકો માર્યા ગયા, જેમાંથી અડધાથી વધુ ઇન્ડોનેશિયન હતા.

Most Popular

To Top