National

સંદેશખાલી-ધામખલીમાં શાહજહાં શેખના ઠેકાણાઓ પર વહેલી સવારે EDના દરોડા

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વહેલી સવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ નેતા શાહજહાં શેખના ઘર પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. EDની ટીમ સાથે કેન્દ્રીય સુરક્ષા દળના (Central Security Force) જવાનો પણ હાજર છે. સંદેશખાલીમાં શાહજહાંના ઈંટના ભઠ્ઠા તેમજ ધામખલીમાં તેના ઠેકાણા પર આ દરોડા (Raid) પાડવામાં આવી રહ્યા છે.

જણાવી દઇયે કે EDના અધિકારીઓ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનોને પોતાની સાથે લાવ્યા છે. તેમજ મહિલા સેન્ટ્રલ ફોર્સની એક ટીમ પણ ED અધિકારીઓ સાથે આવી છે. દરોડા માટે ટીમો સવારે 6.30 વાગ્યે સંદેશખાલી પહોંચી હતી.

અગાવ 5 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ રાશન કૌભાંડ કેસમાં અકુંજીપારા સ્થિત શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા આવેલા ED અધિકારીઓ પર લગભગ 200 સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. તેમજ સરકારી વાહનોને પણ નુકશાન થયું હતું.

હુમલા બાદ શાહજહાં ફરાર થઈ ગયો હતો
EDએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ કેસમાં EDએ પહેલા બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. બાદમાં ટીએમસી નેતા શાહજહાં શેખ અને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યની સંડોવણી પણ સામે આવી હતી. આ કેસમાં 5 જાન્યુઆરીએ જ્યારે EDની ટીમ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચી ત્યારે ત્યાં કેટલાક લોકોએ ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ શાહજહાં શેખ ફરાર થઈ ગયો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે સીબીઆઈની કસ્ટડીમાં છે.

‘આરોપી જ્યોતિપ્રિયા મલિકની નજીક છે’
5 જાન્યુઆરીના હુમલા બાદ EDની ટીમે TMCના પૂર્વ બાણગાંવ નગરપાલિકાના પ્રમુખ શંકર આદ્યની ધરપકડ કરી હતી. આદ્યા અને શાહજહાં પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. આદ્યાને રાશન કૌભાંડમાં પણ આરોપી માનવામાં આવ્યા છે. અગાવ કેન્દ્રીય એજન્સીએ આદ્યા અને તેના પરિવારના સભ્યોની સંપત્તિની તપાસ કરી હતી. તેમજ બોનગાંવના સિમલ્ટોલા સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે રાશન કૌભાંડ?
EDએ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વિતરણ કરવામાં આવતા લગભગ 30 ટકા રાશનનું વેચાણ થયું હતું. ED અનુસાર રાશન વેચીને મળેલા પૈસા મિલ માલિકો અને PDS વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. આરોપ છે કે આ આખા ખેલમાં કેટલીક સહકારી મંડળીઓની મિલીભગતથી થયો છે. આ માટે રાઇસ મિલોના માલિકોએ ખેડૂતોના નકલી ખાતા ધારકોને ખોલાવ્યા હતા. તેમજ તેઓએ તેમના અનાજના બદલામાં તેમને આપવામાં આવેલ નિશ્ચિત MSP (લઘુત્તમ ટેકાના ભાવ) નાણા ખિસ્સામાં નાખ્યા હતા. જ્યારે સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી સીધું અનાજ ખરીદવા જતી હતી.

Most Popular

To Top