Vadodara

સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામો થઈ રહ્યા છે : અમિત શાહ

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને જંગી જન સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. આદિવાસીઓના વિકાસની વાતો કરી હતી. મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યાે હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ૭૦ વર્ષાે સુધી રામ મંદિર ના બનાવ્યું અને નરેન્દ્રભાઈ મોદીએ જયશ્રી રામના નારા સાથે અયોધ્યામાં રામ મંદિરનું ભુમી પુજન કરી રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂંઆત કરી નાંખી. અમિત શાહે ઝાલોદમાં જંગી સભાને સંબોધતાં જણાવ્યું કે, વિકાસ માત્રને માત્ર નરેન્દ્ર મોદીએ કર્યાે છે.

બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓને પ્રોટેક્શન આપ્યું છે. નરેન્દ્રભાઈના મંત્રી મંડળમાં મંત્રીઓએ ૨૦૦૩ – ૦૪ના બજેટમાં નરેન્દ્રભાઈએ આદિવાસીઓને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે અને ત્યારથી આ સમગ્ર આદિવાસી વિસ્તારને વિકાસ થવાની શરૂંઆત થઈ. હું દાહોદમાં પ્રભારી મંત્રી હતો. પાણીના ચેકડેમો બનાવવા વાડીની યોજનાઓ આપવી, શિક્ષણની લોનો આપવી અનેક પ્રકારના આદિવાસીઓને આગળ વધારવાના કામો કર્યા. દાહોદ અને ડાંગમાં વાડીની યોજના લાવ્યાં. વાડીની યોજનાથી આદિવાસીઓને મજબુત કર્યાં, પહેલા માત્ર ૦૪ ટકા આદિવાસીઓના ઘરે પાણી નળથી આવતું હતું અત્યારે ૫૬ ટકા સુધી પહોંચાડ્યું છે અને આવતા વર્ષે દરેક આદિવાસીના ઘરમાં ચકલીમાંથી પાણી આવશે, સાક્ષરતાથી ૧૦૦ ફાયદો આદિવાસી દિકરા – દિકરીઓને થાય છે. 

કોંગ્રેસના જમાનામાં દાહોદના ગામડામાં ચોવીસ કલાક વીજળી નહોતી આવતી, નરેન્દ્રભાઈએ ૨૦૦૪થી સમગ્ર ગુજરાતમાં વિશેષ રીતે દાહોદમાં ચોવીસ કલાક વીજળી આપવાનું કામ કર્યું, રોડથી જાેડવાનું કામ કર્યુ, ૩૩ લાખ બાળકો પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડીકલ, એન્જીનીયરીંગ, પીએચડીમાં કોલર્સીંગ આપવાનું કામ અને કોલર્સીંપ વધારવાનું કામ કર્યું છે. ૨ લાખ એકર જમીન આદિવાસીઓના નામે કરવાનું કામ કર્યું છે.

બધા જિલ્લામાં ભગવાન બીરસા મુંડા યુનિવર્સિટી બનાવી, ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી બનાવી, ઉચ્ચ શિક્ષણ માટે આદિવાસીઓને દરેક પ્રકારના લાભો આપવામાં આવ્યાં, નરેન્દ્રભાઈ કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા આ વખતે રાષ્ટ્રપતિ બનાવવાનો વારો આવ્યો, આઝાદીના ૭૫ વર્ષ થયા પરંતુ કોંગ્રેસીયાઓએ ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિને ન બનાવ્યો, આપણા વડાપ્રધાને આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું. આયુષ્યમાન ભારતનું કાર્ડ આદિવાસી અને ગરીબો માટે બનાવ્યું, કોંગ્રેસ હોત તો કોરોનાની દવા ના બનતી, નરેન્દ્રભાઈએ ૧૩ મહિનામાં કોરોના રસી બનાવાડી, કોઈને પૈસા નથી આપવા પડ્યાં, દેશ ભરના ૨૩૦ કરોડ ડોઝ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

કોરોનામાં સૌથી વધારે તકલીફ પડી હોય તો ગરીબ, આદિવાસીઓને, રોજગારી બંધ થઈ ગઈ, કારખાના બંધ થઈ ગયાં, રોજદારી, મજુરોની રોજગારીની શું. દરેકની ચિંતા કરી સમગ્ર દુનિયામાં સવા બે વર્ષમાં દર વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ મફ્ત મોકલવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના રાજમાં કોમી તોફાનો થતાં હતાં. ૨૦૦૨ થી ૨૦૨૨થી રમખાણો થયાં નથી. દંગા કરાવવાવાળા ગુજરાતની બહાર જતાં રહ્યાં. ગુજરાતમાં શાંતિ સ્થાપી છે. ગુજરાતમાં સૌથી વધુ બજેટ ઝાલોદમાં ફાળવવાના છીએ. ઝાલોદને સૌથી વિકસીત વિસ્તાર બનાવવાનો છે. ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં વિકાસના કોમા કર્યા છે. નરેન્દ્રભાઈ આવ્યાં અને ભુમી પુજન કર્યું અને અયોધ્યા ખાતે જય શ્રી રામ કરી મંદિરનું નિર્માણ કાર્ય શરૂં કરાવ્યું. ૧ જાન્યુઆરી ૨૦૨૪માં ગગન ચુંબી રામ મંદિર તૈયાર હશે. બક્ષીપંચ સમાજનો વિકાસ કર્યાે છે. ગરીબોના જીવન સ્તરને ઉપર લાવવાનું કામ કર્યુ છે.

Most Popular

To Top